________________
તૈયારી ઉત્થાપન કરવામાં આવેલ જિનપ્રતિમાઓની પુનઃપ્રતિષ્ઠા કરવા મહોત્સવ સારી રીતે ઊજવી શકાય એ માટે, ઉજવણીની તૈયારી તથા પૂર્વતૈયારી રૂપે, આ પ્રમાણે ત્રણ કામની ગોઠવણ કરવાની હતી ?
(૧) જિનબિંબને પધરાવવા માટે નૂતન જિનાલય બંધાવવું તથા આ નૂતન જિનાલયમાં પધરાવતાં જે પ્રતિમાજીઓ વધે એમને દાદાની ટૂકમાં જ, અન્ય સ્થાનેએ પધરાવી શકાય એવી ગોઠવણ કરવી.
(૨) આ જિનમંદિર તૈયાર થઈ જાય એટલે એમાં તથા અન્ય સ્થાનમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવાના આદેશ આપવાની પદ્ધતિ નક્કી કરવી.
(૩) શ્રેષ્ઠીવર્ય કર્ભાશાએ કરાવેલ તીર્થાધિરાજના સેળમા ઉદ્ધાર પછી આશરે સાડાચારસે વર્ષ બાદ આવતો, દાદાની ટ્રકમાં ૫૦૪ જેટલાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવવાનો અપૂર્વ પ્રસંગ, ગિરિરાજ શ્રી શત્રુંજયના મહિમાને છાજે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની શોભાને વધારે અને ચતુર્વિધ શ્રીસંઘના ગૌરવને અનુરૂપ હોય એ રીતે, ખૂબ ઉલ્લાસપૂર્વક, ભવ્ય રૂપે અને ચિરસ્મરણીય બની રહે એ રીતે ઊજવી શકાય એવી બધી પૂર્વતૈયારીઓ કરવી.
શ્રી ચતુર્વિધ શ્રીસંઘના પુણ્યોદયે તથા એના ઉમંગભર્યા સહકારથી આ બધી તૈયારી અને પૂર્વતૈયારીઓ ખૂબ સતેષકારક થઈ શકી હતી. એની કેટલીક મહત્ત્વની વિગતે આ પ્રમાણે છે –
(૧) નૂતન જિનપ્રાસાદ પ્રતિમાજીઓનું ઉત્થાપન કરાવ્યા બાદ પેઢીએ સૌથી પહેલું કામ એ કરવાનું હતું કે, પણદાખલ પધરાવવામાં આવેલ જિનબિંબને, કાયમને માટે, દાદાની ટૂંકમાં જ બિરાજમાન કરી શકાય એવા સ્થાનની ગોઠવણ કરવી. શરૂઆતમાં તે દાદાના દેરાસરની આસપાસની ભમતીમાં, જ્યાં અનુકૂળતા દેખાય ત્યાં, આ પ્રતિમાજીને પધરાવવાં, એ કંઈક વિચાર કરવામાં આવ્યો હતો. પણ આટલાં બધાં પ્રતિમાજીઓને માટે ભમતીમાં પૂરતી જગ્યા મળી આવે એમ ન લાગ્યું અને એમ કરવા જતાં જિનબિંબની ફરી પાછી આશાતના થવાની અને શિલ્પશાસ્ત્રનાં વિધાનની ઉપેક્ષા થવાની શક્યતા દેખાઈ એટલે, એ વિચાર જાતે કરીને, એક નૂતન જિનાલય બંધાવવાનું નકકી કરવામાં આવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org