________________
પ્રતિષ્ઠા-મહત્સવની પૂર્વભૂમિકા
[૨૩] મુંબઈ, અમદાવાદ અને રાજકોટનાં દૈનિક પત્રોમાં, પેઢી તરફથી, એક જાહેર નિવેદન પ્રગટ કરાવીને, આ અંગે વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી હતી. વર્તમાનપત્રોમાં આપવામાં આવેલું નિવેદન આ પ્રમાણે હતું
જાહેર નિવેદન “પવિત્ર ગિરિરાજ ઉપર પ્રતિમાજીઓની થએલી ઉસ્થાપનવિધિ અંગે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું, ખરી વસ્તુસ્થિતિ રજૂ કરતું નિવેદન, “જૈન” પત્રના તા. ૧૯-૮-૬૪ ના અંકના પાન ૬૦૧ ઉપર પ્રસિદ્ધ થએલું છે જ. છતાં પણ અમુક વ્યક્તિઓ, વસ્તુસ્થિતિને અવળા સ્વરૂપે, ભાષાને ઓપ આપી, લોકલાગણું ઉશ્કેરાય તે રીતે, રજૂ કરવા પ્રયત્ન કરે છે. તેમાં વ્યક્તિગત માન્યતા, રાગ-દ્વેષ હેવાને ભાસ દેખાય છે.
જરૂર હોય ત્યાં અને ત્યારે, ભારતભરમાં જૈન મંદિરમાં, ઉત્થાપન અને સ્થાપન થતું આવ્યું છે, અને થયે જવાનું છે. આ પ્રણાલિકા જગજૂની છે અને અનિવાર્ય છે.
“શિલ્પશાસ્ત્રમાં પ્રાસાદ, પ્રતિમાઓ પધરાવવાની ભમતી, અને વચ્ચે ખુલ્લી રાખવાની જગ્યા, ગર્ભગૃહ, મંડોવર વિગેરે કેવાં રાખવાં તથા પ્રતિમાજીઓ મૂળનાયક તરફ કેવી રીતે બેસે તે નકકી કરેલું છે. દીવાલને અડીને બિરાજમાન કરેલ દેવધિઓને સર્વથા અશુભ માનેલાં છે. તેમ જ એક જ સ્વામીના બે મંદિરે પણ એક દીવાલે વર્જિત છે. -શિલ્પરત્નાકર પૃ. ૫૦૮, તથા ૨૦૪, ૨૦૬; શિલ્પશાસ્ત્રસંગ્રહ પૃ. ૧૫.
અત્રે પણ શાસ્ત્રોક્ત દષ્ટિએ કેટલીક પ્રતિમાજીઓ યથાયોગ્ય બિરાજમાન થએલી ન હોવાનું જણાતાં, આશાતના ટાળવા, ઉસ્થાપનની જરૂરિયાતને, આચાર્ય ભંગવતની તથા ભારતભરના વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના સ્થાનિક પ્રતિનિધિઓની અનુમતિ લઈ આ કાર્ય હાથ ઉપર લેવામાં આવ્યું છે.
ઉથાપન થએલ પ્રતિમાજીઓને શાસ્ત્રોક્ત વિધિથી, સુગ્ય જગ્યાએ પધરાવી, જૈન સમાજને દેવત્વ પ્રત્યે વધુ આદર પેદા થાય એ શુભ નિષ્ઠાથી આ ઉત્થાપન કરવામાં આવ્યું છે, તેને દુષ્કૃત્યની બ્રાંતિ પેદા કરવા પ્રયત્ન થાય છે, તે દુઃખદ છે.
“જૈન સમાજ વિચારવંત હોઈ આ પ્રશ્નને વાસ્તવિક રીતે વિચારશે અને અવળે રસ્તે નહીં દેરાય એવી શ્રદ્ધા છે.”
(આમાં જોડણી સુધારી છે.) ઝવેરીવાડ, અમદાવાદ,
શેઠ આણંદજી કલ્યાણજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org