SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૪: શેઠશ્રીની નિવૃત્તિ અને કાર્યકિરેનું બહુમાન [૧૬] '(૪) શ્રી શત્રુંજય તીર્થપતિ ઋષભરવામિને નમ: ' શ્રી શત્રુજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદમાં પ૦૪ જિનેશ્વરભગવંતના બિઓના પ્રતિષ્ઠા સમારેહને શાસનપ્રભાવનાપૂર્વક સફળ રીતે ઊજવવા બદલ - શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી સેવાભાવી શ્રી યંતીલાલ માણેકલાલ ભાઉને અભિનંદનપત્ર સેવાભાવી શ્રી જયંતીલાલ માણેકલાલ ભાઉ ! - શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદનો પ્રતિષ્ઠા મહોત્સવ વિ. સં. ૨૦૩૨, મહા સુદ ૭ શનિવાર, તા. ૭-૨-૭૬ ના રોજ જે સુંદર અને શાનદાર રીતે ઊજવાય તેમાં તમારી કાર્યદક્ષતા, પરિશ્રમ અને ભેજનાશક્તિને આભારી છે. તમે વર્ષોથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આગેવાનીભર્યો ભાગ લે છે તે જાણીતું છે. આ ઉત્સવની ભજનવ્યવસ્થામાં તમે ખૂબ પરિશ્રમ, દૂરંદેશી અને કાર્ય કરવાની અજોડ શક્તિ બતાવી તેથી આ પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર દીપી ઊઠયે તે તમારી કુશળતાને આભારી છે. અવિરત પરિશ્રમશીલ સેવાભાવી જયંતીલાલ ! ભજનવ્યવસ્થાનું કાર્ય તમને સંપાયા પછી તમે તુર્ત તે કાર્ય કેમ સુંદર સાંગોપાંગ પાર પડે તે માટે પંદર પંદર દિવસ સુધી રાત અને દિવસ સતત પરિશ્રમ કર્યો છે. તમે સ્વચ્છ ભજનસામગ્રી, સ્વચ્છ વાસણ, સુંદર મંડપ, રસેયાઓ, નોકરો વિગેરે તમામ સાધનો વિદ્યુવેગે એકઠાં ક્ય. હજારો માણસો જમે છતાં બિલકુલ સ્વરછ મંડપ અને ઘંઘાટ વિના ઉષ્ણ ભજન પીરસાય, કેઈ ચીજની ખામી ન રહે તેવી સુંદર વ્યવસ્થાવાળી છ છ નવકારશીઓ આપની રાહબારી નીચે થઈ. આવી નવકારશીઓ પાલીતાણામાં યાત્રીઓએ પ્રથમ નિહાળેલ છે. આ નવકારશી જમણની સુંદર વ્યવસ્થા તમારી જનાબદ્ધ કાર્ય કરવાની શક્તિ, અવિરત પરિશ્રમ અને સેવાભાવની ભાવનાને આભારી છે. ધીક્ત વ્યવસાય અને અનેક કામગીરી છતાં તે સર્વને પંદર દિવસ માટે છોડી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy