SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાજીઓના ઉત્થાપનને વિરોધ કરનારા આજે મુખ્ય મંદિરમાં પ્રગટ થયેલ શિલ્પને તથા એના જીર્ણોદ્ધારને જોઈ પિતાની ભૂલને પસ્તા કરે છે અને શેઠશ્રીની જીર્ણોદ્ધાર અંગેની આગવી સૂઝને પ્રશંસે છે. આ નૂતન જિનમંદિરમાં તથા અન્ય સ્થાનમાં જે ભાગ્યશાળીઓએ પ્રતિમાઓ પધરાવી છે તેની વિગતવાર યાદી આ ગ્રંથમાં આપવામાં આવી છે. તેથી આ ગ્રંથ સૌને માટે સાચવી રાખવા જેવો બની રહેશે એવી અમને ખાતરી છે. * આ અહેવાલ ભાઈશ્રી રાતલાલ દીપચંદ દેસાઈએ ખૂબ મહેનત લઈને તૈયાર કરેલ છે અને દરેક પ્રસંગને ખૂબ ચીવટ અને વિચારણાપૂર્વક રજૂ કરેલ છે. છે. જે કાઈને આ પ્રતિષ્ઠા-પ્રસંગ નિમિત્તે શેઠશ્રીના સાંનિધ્યમાં કામ કરવાનો અવસર મળે છે તે સહુ પિતાની જાતને ધન્ય માને છે, અને એ પુણ્ય અવસરનું આનંદ અને ઉલ્લાસપૂર્વક સ્મરણ કરતા રહે છે. આ પ્રતિષ્ઠા-પ્રસંગમાં શેઠશ્રીના સમુજqલ વ્યક્તિત્વને ઘણો ઘનિષ્ઠ પરિચય કરવાને અમને જે સુઅવસર મળે છે તેને અમે અમારું અહેભાગ્ય લેખીએ છીએ, અને તેઓશ્રીની તીર્થભક્તિ, ધર્મપ્રધા, ઊંડી સૂઝ, ચીવટ તથા કામ કરવાની વિશિષ્ટ પદ્ધતિ વગેરેની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આ પ્રતિષ્ઠાના અહેવાલનું સૌકઈ વારંવાર અવલોકન-અવગાહન કરી તીર્થભાક્ત માટે ઉલ્લસિત થાય એવી મંગલ ભાવના સાથે અમે અમારું આ નિવેદન પૂરું કરીએ છીએ. • અમદાવાદ, પં. મફતલાલ ઝવેરચંદ ગાંધી મૌન એકાદશી, મહેન્દ્રભાઈ પી. ફડીયા વિ. સં. ૨૦૩૪. રમણલાલ મેહનલાલ ગાંધી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy