________________
પાટણનાં જિનાલયો
રાજાનામુપદેશેન ઓકેશવંશીય મંત્રી શ્રીરાજ ભાર્યા સમાઈ પુત્ર લટકણ ભાર્યા જેઠી કુક્ષિરત્ન મં જયવંત ભાર્યા પ્રેમલદેવિ કુક્ષિ સજ્જનશીલાદિ (સિંહાર્દિ ?) ગુણમણસંપન્ન શ્રાવિકા વ. ઇ નાવિકયા । શ્રી મુનિસુવ્રતસ્વામિ ચૈત્ય । કારિતા સં. ૧૬૭૩ મિતે કારિતસ્તથૈવ ૫ ધનજી
કસ્યોમમેજ પં રત્નસુંદરગણિના લેખિત ।’
७०
જિનાલયના પ્રવેશતાં સન્મુખ સામરણયુક્ત દેવકુલિકાની રચના નજરે પડે છે. તે જિનાલયની બાજુમાં જગ્યા ખાલી છે. હાલ તેનો કેસર ઘસવાની જગ્યા તરીકે ઉપયોગ થાય છે. આ જિનાલય પાસેથી જ મુનિસુવ્રતસ્વામીના જિનાલયમાં પ્રવેશી શકાય છે.
સ્થાનિક માહિતી પ્રમાણે જ્યાં હાલ કેસર ઘસવાની જગ્યા છે ત્યાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું જિનાલય આવેલું હતું અને શ્રી મુનિસુવ્રતસ્વામી તથા શ્રી ભીડભંજન પાર્શ્વનાથની એક જ દિશામાં હતા. જીર્ણોદ્વાર પછી શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું જિનાલય તથા બન્નેની દિશા બદલાઈ છે.
પ્રતિમાના મુખ પ્રતિમા
-
ભીડભંજન પાર્શ્વનાથ
નાનો ગભારો તથા નાની શૃંગારચોકી છે. ગર્ભદ્વાર એક છે. ગંભારામાં ૨૩” ઊંચાઈ ધરાવતી શ્રી ભીડભંજન (કર્મચિંતામણિ) પાર્શ્વનાથની સપરિકર ધાતુપ્રતિમા બિરાજે છે. તેના પર નીચે મુજબનો લેખ છે :
ડાબે :
(૧) “સ્વસ્તિ શ્રી નૃપ વિક્રમસમયાતીત સં ૧૫૨૨ વર્ષે જમણે :
(૧) અઘેહ શ્રીમદ્ અણહિલ્લપત્તન મધ્યે શ્રી ઉપકેશગચ્છે (૨) પાધ્યાય શ્રી કર્મ
પ્રતિમાના લાંછનની ઉપરના ભાગમાં :
પ્રતિષ્ઠિત શ્રી કક્કસૂરિભિઃ
ઉપરાંત ગભારામાં મૂળનાયક બિરાજે છે તેની નીચેની દીવાલે પણ પુનઃપ્રતિષ્ઠા અંગેનું લખાણ છે :
.........
Jain Education International
“પ્રતિષ્ઠાકારક : આચાર્ય શ્રી સોમચંદ્રસૂરિ
શેઠ શ્રી સ્વ. મહાસુખલાલ પોપટલાલ તેમના પત્ની સ્વર્ગસ્થ પદમાબેન તેમના પુત્ર સ્વ કમલેશભાઈ તથા નરેન્દ્રભાઈ પત્ની બીનાબેન પુત્ર દેવાંગ, પુત્રી શીતલનાં હસ્તે શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા સં. ૨૦૪૬ના માગશર સુદિ ૧૦ શુક્રવારે તા. ૮-૧૨-૧૯૮૯ના રોજ કરેલ છે.’
For Personal & Private Use Only
.........
www.jainelibrary.org