________________
પાટણનાં જિનાલયો
દસ આરસપ્રતિમા અને બત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી તેવો ઉલ્લેખ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ઢંઢેરવાડામાં આવેલા મહાવીરસ્વામીના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં દસ આરસપ્રતિમા અને બત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હોવાની નોંધ છે. ઉપરાંત ચાર સામૂર્તિઓ બિરાજમાન હોવાની તથા આરસના ચોવીસજિનમાતાનો એક પટની જે નોંધ થયેલી છે. તે આજે પણ છે. વહીવટદાર તરીકે મણિલાલ જેઠુચંદ સેવાઓ આપતા હતા.
આજે મુખ્ય વહીવટદાર તરીકે મુંબઈનિવાસી શ્રી ભૂપેન્દ્રભાઈ પોપટલાલ શાહ, શ્રી અશ્વિનભાઈ અમીચંદ તથા શ્રી નેમચંદભાઈ ખેમચંદભાઈ અને ઢંઢેરવાડામાં રહેતા શ્રી જિતેન્દ્રભાઈ બબાલાલ શાહ સેવાઓ આપી રહ્યા છે.
પંચાસરા પાર્શ્વનાથના જિનાલયમાંનો કાષ્ઠનો કલામય ઘુમ્મટ આ જિનાલયની નોંધપાત્ર વિશિષ્ટતા છે. વળી, પાટણના અલ્પસંખ્યક પ્રાચીન જિનાલયો પૈકીનું આ જિનાલય એક છે. તે ૧૯મા સૈકાથી અદ્યાપિપર્વત જિનશાસનની ધજા-પતાકા ફરકાવી રહ્યું છે. સંભવતઃ તે ૧૬મા સૈકાથી ઘણું પ્રાચીન છે. ટૂંકમાં, આ જિનાલયનો સમય ૧૬મા સૈકાનો ગણી શકાય.
ઢંઢેરવાડો શામળા પાર્શ્વનાથ (સં. ૧૬૧૩ પૂર્વે)
ઢંઢેરવાડામાં છેક અંદરની બાજુએ આવેલું શ્રી શામળા પાર્શ્વનાથનું જિનાલય બહારથી જોતાંની સાથે જ મનને મોહી લે છે. આ જિનાલયનો બાહ્ય દેખાવ, અંદરના રંગમંડપનું સુંદર રંગકામ, ચિત્રો તથા કોતરણી તથા કસોટીના કાળા પથ્થરની ૭૧” ઊંચી શામળા પાર્શ્વનાથની વિશિષ્ટ પ્રતિમા સાધક જીવને સાધનાના, વિકાસના પંથે દોરી જતું આલંબન બની રહે છે.
મુખ્ય દરવાજાની દીવાલે પથ્થર પર રંગીન કોતરણી છે. દરવાજાની ઉપર વચ્ચે દેવીની કૃતિ તથા તેની આજુબાજુ બે સિંહની રચના છે. દરવાજાની આજુબાજુ બે દ્વારપાળો છે. દરવાજાની સામે મોટી ઊંચી દીવાલ પર સં. ૧૯૭૩ લખેલ છે. તે સમયે જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હતો. પગથિયાંની આજુબાજુ નીચે બે દીવાલ પર હાથી પર બેસી રાજા-રાણી દર્શનાર્થે પધારી રહ્યાં હોય એવી કોતરણી છે. પ્રવેશચોકીના થાંભલા પર વાજિંત્રો લઈને ઊભેલી પૂતળીઓ, કમાનો તથા સિંહ અને મોરની કોતરણી જોવા મળે છે. છેક ઉપર હાથી પર તથા ઘોડા પર સવાર રાજાનું દશ્ય છે. ઉપરની દીવાલ પર ત્રણ કોતરણીયુક્ત નાના ઝરૂખા જેવી રચના છે, જેના થાંભલા પર નર્તકીઓ તથા તેની ઉપરના ભાગમાં વાજિંત્રો વગાડતા પુરુષો ઉપરાંત હાથી, સિંહ વગેરે શિલ્પો નજર બાંધી લે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૫)
પ્રવેશદ્વારની બારસાખ પર પણ દેવીઓ અને ઉપરની દીવાલ પર પણ રંગીન કોતરણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org