________________
૫૭
પાટણનાં જિનાલયો
પાટક ખેત્રપાલનઈ એ. જિન શીતલનાથ |
સતસઠિ શત ઊપરિ વલી એ ભેટઈ સનાથ //૧૪ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
કિયા વોહરાના પાડામાં, શીતલ પ્રતિમા તમ પંચવીસજી | ક્ષેત્રપાલના પાડા માંહી, શીતલનાથ નમું નિસદીસ જી //રા.
જિહાં જિનવર છે બસે એકાણુ, તિહાંથી કોકે જઈએજી | સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
પોલે જઈ ક્ષેત્રપાલનઈ પ્રણમું સીતલદેવ હો, ભવિ.
પાસે રહી પદમાવતી દેવી કટૈ જિનસેવ. ૧ હો, ભવિ સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં આ વિસ્તારનો કે જિનાલયનો કોઈ ઉલ્લેખ નથી. સંભવ છે કે સરતચૂકથી આ જિનાલયનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય અથવા એ સમયે આ વિસ્તાર અન્ય કોઈ નામથી પ્રચલિત હોય !
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
સંસારાગ્નિ પ્રતાપપ્રમથન સબલ શીતલ શીતલાગ્યું, મોક્ષાર્થ મોક્ષ માર્ગ પ્રદમહમધુના તીર્થનાથું નમામિ |
ભકત્યા પ્રાસાદસંસ્થે સુરવરહિત ક્ષેત્રપાલાખ પોલે, 'સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખેતરપાલના પાડા નામના વિસ્તારમાં શીતલનાથના આ જિનાલયનો ઉલ્લેખ કરી તેને શિખર વિનાનું દર્શાવ્યું છે. તે સમયે જિનાલયમાં બાર આરસપ્રતિમા અને છ ધાતુપ્રતિમા બિરાજમાન હોવાનો અને પગલાંની એક જોડ હોવાનો નિર્દેશ છે. જિનાલયની સ્થિતિ સારી હોવાની નોંધ આપી છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ખેતરપાલના પાડામાં શીતલનાથના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં બાર આરસપ્રતિમા અને અઢાર ધાતુપ્રતિમા બિરાજમાન હોવાનો તથા વહીવટદાર તરીકે દેવચંદ નાગરદાસના નામનો ઉલ્લેખ છે. જિનાલયની સ્થિતિ સારી હોવાની નોંધ છે. ઉપરાંત પદ્માવતીની પ્રાચીન સુંદર મૂર્તિનો ખાસ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
આજે જિનાલયમાં ચૌદ આરસપ્રતિમા બિરાજમાન છે જે પૈકી બે કાઉસ્સગ્ન પ્રતિમાઓ છે. સ્થાનિક માહિતી મુજબ આ બે કાઉસ્સગ્ગ પૈકી એક પ્રતિમા નાગેશ્વર પાર્શ્વનાથની છે. આજે જિનાલયના વહીવટદાર તરીકે મુંબઈનિવાસી શ્રી જિતેન્દ્રભાઈ રસિકલાલ ચાવાળા તથા શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org