________________
૩૬
ચિંતામણિ પાડા માંહિ, ભેટયા ચિંતામણિ પાસ. લ રંગમંડપ ભલી કોરણી, અતિ ઉંચો જિન આવાસ. લ
પાટણનાં જિનાલયો
૬ પા
પીપલીયા પાડા માંહિં, શ્રી શાંતિ જિનેશ્વર ભેટ્યા રે, મોહન મૂરતિ નિરખતાં, દુખ દાલિદ્ર સવિ મેટ્યા રે. ચિંતામણિપાડામાં ચિંતામણિ પાર્શ્વનાથનું ઘણું ઊંચું જિનાલય હતું અને તેમાં રંગમંડપમાં કોતરણી હોવાની પણ કવિ નોંધ કરે છે.
૬ પા
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર પંચાસરા પાર્શ્વનાથના જિનાલયના કંપાઉંડમાં જોવા મળે છે. વંદે પંચાસરું વૈ સુમતિજનપતિ જ્ઞાતપુત્રં ચ ગોડી– પાર્શ્વ ચિંતામણિ ચાજિતજિનપતિમત્રાહમૌચિત્યયુક્તઃ ।
સં. ૧૯૫૯માં ચિંતામણિપાડો કે પીપલીયાપાડાનો ઉલ્લેખ મળતો નથી. જ્યારે એ જ જિનાલયો પંચાસરાના કંપાઉંડમાં વિદ્યમાન હોવાનો સં૰ ૧૯૫૯માં ઉલ્લેખ મળે છે. એટલે કે ચિંતામણિપાડામાં અને પીપલીયાપાડામાં જૈનોની વસ્તી નહિવત્ થઈ જવાને કા૨ણે એ જિનાલયો બાજુમાં જ આવેલા પંચાસરા પાર્શ્વનાથના જિનાલયના કંપાઉંડમાં સ્થળાંતર પામ્યાં.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયને તથા શાંતિનાથના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં દસ આરસપ્રતિમા અને બત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ શ્રી સંઘ હસ્તક હતો. શાંતિનાથના જિનાલયમાં સોળ આરસપ્રતિમા અને સત્તાવીસ ધાતુપ્રતિમા તથા પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ શાહ ઉમેદચંદ લાલચંદ હસ્તક હતો.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. શાંતિનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ થયેલો નથી. ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય ઘુમ્મટબંધી દર્શાવ્યું છે. ત્યારે દસ આરસપ્રતિમા અને છત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ શેઠ ધરમચંદ ઉદયચંદની પેઢી હસ્તક હતો.
Jain Education International
આજે જિનાલયમાં કુલ અગિયાર આરસપ્રતિમા અને બેતાળીસ ધાતુપ્રતિમા બિરાજે છે. જિનાલયનો વહીવટ પંચાસરા પાર્શ્વનાથ દેરાસર ટ્રસ્ટ હસ્તક છે.
અમારી માન્યતા પ્રમાણે ચિંતામણિ પાર્શ્વનાથ અને શાંતિનાથનાં જિનાલયો સં ૧૫૭૬ પૂર્વેના છે. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org