________________
પાટણનાં જિનાલયો
ભગવાનને બિરાજમાન કર્યા હતા અને શિખરો ઉપર ધ્વજદંડ રોપી કળશો ચઢાવ્યા હતા.
દેરાસરના ખાતમુહૂર્તથી લઈને યાવત્ પ્રતિષ્ઠા સુધીનાં સર્વ મંગલમય મુહૂર્તો શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિ મહારાજના પટ્ટધર શિષ્ય શ્રી વિજયઉદયસૂરિ મહારાજ તથા તેમના શિષ્ય શ્રી વિજયનન્દનસૂરિ મહારાજ પાસે જોવરાવવામાં આવ્યાં હતાં.
૨૭
પ્રતિમાઓની વિગત
આ બાવન જિનાલયમાં, ૮૬ પ્રતિમાજી નવા ભરાવેલાં છે, તેમાંના ચોવીસ પ્રતિમાજી ચોવીસ તીર્થંકર ભગવાનના દેહના વર્ણ પ્રમાણે વર્ણવાળા છે. કેટલાક પ્રતિમાજી સંપ્રતિ મહારાજાના વખતના અતિ પ્રાચીન છે. કેટલાક પ્રતિમાજી ૧૬મી સદીમાં આચાર્ય શ્રી વિજય હીરસૂરિ મહારાજ તથા તેમના શિષ્ય વિજય સેનસૂરિ મહારાજના હાથે અંજન કરાયેલા છે અને કેટલાક પ્રતિમાજી સંવત ૧૯૯૮માં પ્રાચીન પાટણની ભૂમિમાંથી હાલ જ્યાં વડલી ગામ છે ત્યાંથી પ્રગટ થયેલા તે છે.
૧
દેરાસરનો પ્રવેશદ્વાર પાસેના ગોખલામાં દક્ષિણ દિશાએ ૧લા ગોખલામાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની અર્વાચીન મૂર્તિ છે અને તેની સામેના ઉત્તરના ગોખલામાં ઠ. આશાકમંત્રીની પ્રાચીન મૂર્તિ છે. ૨જા ગોખલામાં પાર્શ્વનાથ ભગવાનના યક્ષ પાર્શ્વની મૂર્તિ છે અને તેની સામેના ગોખલામાં યક્ષિણી પદ્માવતીની મૂર્તિ છે. ૩જા ગોખલામાં શીલગુણસૂરિ મહારાજની અર્વાચીન મૂર્તિ છે અને તેની સામેના ગોખલામાં વનરાજની પ્રાચીન મૂર્તિ છે.
દેરીઓની શરૂઆતમાં મુખ આગળના બે ગોખલામાં સરસ્વતીની બે પ્રાચીન મૂર્તિઓ છે અને દેરીઓની અંતે મુખ આગળના બે ગોખલાઓમાં બે ક્ષેત્રપાળની પ્રાચીન મૂર્તિઓ છે. બાવન જિનાલયનું બાંધકામ
. આ બાવન જિનાલયમાં હાલ એકંદરે બાર લાખ રૂપિયા ખર્ચાયા છે, તેનું બાંધકામ કલાત્મક અને શિલ્પશાસ્ત્રના નિયમાનુસાર કરવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિરની લંબાઈ આશરે ૧૩૦ ફૂટ અને પહોળાઈ ૯૦ ફૂટ અંદાજે છે, તેનું શિલ્પમય કામ જોધપુરી ચિત્ત પથ્થરમાંથી થયું છે, ઉપરાંત મકરાણાઆરસ જેસલમેરમારબલ ધ્રાંગધ્રા જોધપુર હિંમતનગર અને પોરબંદરી
૧. જેમણે પૂર્વે વિક્રમ સંવત ૯૦૧માં પંચાસરા વિહારમાં (વનરાજવિહારમાં) મંડપ કરાવેલો છે. તે આશાક મંત્રીની આ મૂર્તિ છે જે મૂર્તિ તેમના પુત્ર અરિસિંહે ભરાવેલી છે અને શીલગુણસૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી છે.
૨. વનરાજની આ મૂર્તિ તેનું શિલ્પ જોતાં બારમા સૈકાની જણાય છે. અગાઉના મંદિરમાં શીલગુણસૂરિ મહારાજના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ, હીરસૂરિ, સેનસૂરિ તથા દેવસૂરિ વગેરે આચાર્યોની મૂર્તિઓ હતી તે મૂર્તિઓ પંચાસરા મંદિરની બાજુમાં નવા બંધાવેલા ગુરુમંદિરમાં પધરાવવામાં આવી છે. તેમજ આચાર્ય શ્રી વલ્લભસૂરિ, પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી તથા શ્રી હંસવિજયજી મહારાજની નૂતન મૂર્તિઓ પણ
તેમાં પધરાવવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org