________________
૨૬
પાટણનાં જિનાલયો
પંચાસરાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ વિક્રમ સંવત ૧૯૫૦ના અરસામાં પાટણના વતની શ્રાદ્ધવર્ય બાબુ સાહેબ શ્રી પન્નાલાલજી પુરણચંદજીના ધર્મવાસિ માનસમાં સમુદ્ભવ્યો હતો અને તદનુસાર તેઓશ્રીએ તેમના ટ્રસ્ટ શ્રી પંચાસરા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવવા માટે અમુક રકમ નિયત કરી રાખી હતી.
પંચાસરાજીનું નૂતન મંદિર શ્રેષ્ઠિવર્ય બાબુસાહેબ શ્રી પન્નાલાલજી પુરણચંદજીના સુપુત્ર બાબુસાહેબ શ્રી ભગવાનલાલજી તથા બાબુસાહેબ શ્રી મોહનલાલજી તથા સુપૌત્ર બાબુસાહેબ શ્રી વિજયકુમારજીએ ઉપરોક્ત ટ્રસ્ટમાં નિયત કરેલ રકમમાંથી આ બાવન જિનાલયનું મુખ્ય મંદિર બંધાવેલું છે. આ મંદિરનું ખાતમુહૂર્ત સંવત ૧૯૯૮ના ફાગણ વદ પના દિવસે બાબુસાહેબ શ્રી ભગવાનલાલજીના શુભ હસ્તે થયું હતું. આ મુખ્ય જિનાલય સંવત ૨૦૧૧માં લગભગ બંધાઈને તૈયાર થઈ રહ્યું હતું. તેમાં આશરે સાત લાખ રૂપિયા ખર્ચાયા છે.
પંચાસરાજીની પ્રતિષ્ઠા સંવત ૨૦૧૧ના જેઠ સુદ પના પુનિત દિવસે મોટા મહોત્સવપૂર્વક અપૂર્વ ઉલ્લાસથી આચાર્યવર્ય શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજના પટ્ટપ્રભાવક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજના શુભહસ્તે ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને બાબુસાહેબ શ્રી વિજયકુમાર ભગવાનલાલજીએ શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાનને બિરાજમાન કર્યા હતા તેમજ શિખર ઉપર ધ્વજદંડ રોપી સુવર્ણ કળશ ચઢાવ્યો હતો.
દેરીઓ અને નવાં બિંબો આ મુખ્ય મંદિરને ફરતી એકાવન દેરીઓ છે તે પાટણના શ્રી સંધે, તે તે વ્યક્તિઓએ ભરાવેલ નકરાની રકમમાંથી બંધાવેલ છે અને તેમાં આશરે પાંચ લાખ રૂપિયા ખર્ચાયા છે. નકરાની આવેલ રકમ ઉપરાંત દેરીઓમાં વધારે ખર્ચ થયેલ છે, તે રકમ પંચાસરા પાર્શ્વનાથજીની પેઢીના દેવદ્રવ્યમાંથી ખર્ચાઈ છે. આ દેરીઓનું ખાતમુહૂર્ત સંવત ૨૦૧૩ના માગશર સુદ ૪ના શુભ દિને નગરશેઠ શ્રી કેશવલાલ અમરચંદના સુપુત્ર શ્રી ભગવાનલાલના સુપુત્ર શ્રી વીરેન્દ્રભાઈના શુભ હસ્તે થયું હતું. સંવત ૨૦૧૬માં દેરીઓ લગભગ તૈયાર થઈ રહી હતી અને તેમાં બિરાજમાન કરવા માટે ક્યાસી જેટલાં જિનબિંબો નવાં ભરાવવામાં આવ્યાં હતાં.
અંજનશલાકા અને પ્રતિષ્ઠા આ જિનબિંબોની અંજનશલાકા વિધિ મોટા મહોત્સવપૂર્વક પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય વિદ્વદર્ય શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય આગમ પ્રભાકર વિદ્વદર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના વરદ હસ્તે સંવત ૨૦૧૬ના વૈશાખ સુદ પના પુણ્ય દિવસે થઈ હતી અને પ્રતિષ્ઠા પણ તેઓશ્રીના જ શુભ હસ્તે અંજનશલાકાના બીજા દિવસે સુદ ૬ના સુદિવસે થઈ હતી. દેરીઓનો નકરો ભરનાર તે તે પુણ્યશાળી વ્યક્તિઓએ પોતપોતાની દેરીઓમાં મૂળનાયક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org