________________
૨૪
નામનિર્દેશ થયેલો છે.
સં ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પંચાસરા પાર્શ્વનાથના જિનાલય સાથે હીરવિહારનો ઉલ્લેખ છે :
પંચાસરે જાઇઈં એ, તિહાં પ્રાસાદ ચ્યાર. પંચાસર જિનવર તણો એ, દેખી દીદાર
॥૪॥
ચોપન બિંબ તિહાં અતિ ભલા એ, વલી હીરવિહાર.
પ્રતિમા ત્રિણ સહગુરુ તણી એ, મૂરતિ મનોહાર ॥૫॥
સં. ૧૭૪૬માં કવિ શીલવિજયે રચેલી તીર્થમાલામાં પણ પાટણના પંચાસરા તીર્થનો
ઉલ્લેખ છે.
પાટણનાં જિનાલયો
કવિ ઉદયરત્ને સં. ૧૭૫૫માં રચેલા અષ્ટપ્રકારી પૂજા રાસમાં અને સં ૧૭૬૧માં રચેલાં મુનિપતિરાસની પ્રશસ્તિમાં પણ આ તીર્થનો ઉલ્લેખ છે.
૧૭મા સૈકાના ઉતરાર્ધમાં લખાયેલ જણાતું અહો શાલક બોલિ જૂની ગુજરાતી ગદ્યમાં રચાયેલું વર્ણક છે. એમાં એક સ્થળે અણહિલપુર પાટણનું ટૂંકું વર્ણન છે અને તેમાં પાટણના પ્રમુખ દેવાલય તરીકે પંચાસરના મંદિરનો ઉલ્લેખ છે :
“હું તે અહ્મારું અણહીલપુર પાટણ વર્ણવું, પણિ કસૂ એક છિ જે અણહિલપુર પાટણ? સઘટ ઘાટે કરી વિચત્ર ચિત્રામે કરી અભિરામ, મહામહોછવે ભલાં આરામ, પંચાસર પ્રમુખ દેવ દેવાલા, જે નગરમાહઈ દાનશાલા, પૌષધશાલા, ધરમશાલા, ગઢ મઢ મંદિર પ્રકાર, ચુરાસી ચુટાંની હટશ્રેણિ, માંહઈ વસ્ત સંપૂર્ણ વરતઈ—”
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પંચાસરા પાર્શ્વનાથના જિનાલયને પ્રેમાદોસીની પોળ નામના વિસ્તારમાં દર્શાવેલ છે :
Jain Education International
પાટણમેં પ્રભુ પ્રણમીÛ, શ્રી પંચાસરો પાસ. લલાનાં પોલેં પ્રેમા દોસી તણું, પ્રતપે તેજ પ્રકાસ.
૩ લ પાટણ
સં. ૧૭૯૧માં કવિ જિનવિજયે શ્રી પંચાસર પાર્શ્વનાથનું એક મનોહર સંસ્કૃત સ્તોત્ર રચ્યું છે. આ સ્તોત્રમાં આ પરમાત્માનાં બિંબ અને માહાત્મ્યનું મોહક વર્ણન કરેલું છે.
૧૮મી સદીમાં કવિવર જ્ઞાનવિમલે રચેલાં ૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં અને કવિ સુખસાગરે રચેલાં વૃદ્ધિવિજયગણિ રાસની પ્રશસ્તિમાં આ પાર્શ્વ પ્રભુનો નામનિર્દેશ છે. સં. ૧૮૨૧માં ઉપા જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં પંચાસરા પાર્શ્વનાથનો નામોલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
પુર પાટણમાં પાસજી, પંચાસરો પ્રસિદ્ધ, સંઘવી ચાલોને;
તે પ્રભુ વાંદીઇ સંઘ સરવે મન કીધ્ધ. ચાલોને થલપતિ ભેટવા ૧
For Personal & Private Use Only
www.jainelibrary.org