________________
૨૬૮
પાટણનાં જિનાલયો
પાટણમેં પ્રભુ પ્રણમીયે આદિનાથ સાંતિનાથના ભુવન યુગલ મનમોહઇ રે, પાસ ભુવન જઈ ભેટીયા સુપાસ મૂરતિ અતિ સોહઇ રે. ૨ પાટા અષ્ટાપદ જિનમંદિરે, ચંદ્રપ્રભુ સુખકારી રે, પાસ નગીનો પ્રણમીઇ, ભુવન બિંબ બલિહારી રે. '૩ પા. મૂરતિ ચંદ્રપ્રભુ તણી, નિજ સ્વરુપ સું નિરષો રે,
જિન પ્રતિમા જિન સારીષી, આતમ રતિ થઈ પરષો રે. ૪ પાત્ર સં. ૧૮૨૧માં ઉપાટ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં ખરાકોટડીમાં કુલ ચાર જિનાલયો વિદ્યમાન હોવાની નોંધ છે, જ્યારે અષ્ટાપદનો અલગ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ખરાકોટડીઈ પ્યાર છે, પોસાલવાડે ત્રિણ જોય; સં. ૧૯૫૯માં પં, હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં ખરાકોટીના પાંડામાં શાંતિનાથ, આદેશ્વર (બાવન જિનાલય) તથા વિમલનાથનાં જિનાલયોનો ઉલ્લેખ મળે છે :
ખડાકોટીપાડે વિમલમતિતોડહં જિનપતિ, તુવે શાંતિ શાંતિપ્રદમવનિગાનાં તનુશ્રુતામ્ | તથૈવ વંદેડહં પ્રથમજિનનાથે તમભિતો, દ્વિપંચાસર્જના લયકલિતજેનાયતનગમ્
||૧૧|ી. સં ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખરાકોટડીના પાડામાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. જિનાલયમાં અડસઠ આરસપ્રતિમા અને તેર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત પગલાંની છ જોડનો પણ ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ સારી હતી
જયારે સં૧૯૬૭માં, સં. ૧૯૮૨માં, સં. ૨૦૦૮માં તથા સં૨૦૧૮માં શાંતિનાથ બાવન દેરી તથા આદેશ્વરનો ઉલ્લેખ થયેલો છે.
- સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ખરાખોટડીના પાડામાં શાંતિનાથ, આદેશ્વર અને આદેશ્વર (ઘર દેરાસર) – એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતા જે પૈકી શાંતિનાથના જિનાલયને ધાબાબંધી હોવાનું દર્શાવ્યું છે. જિનાલયમાં નવ આરસપ્રતિમા અને પંદર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત ચાર ગુરુમૂર્તિઓનો ઉલ્લેખ થયેલો છે. આદેશ્વરના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં એકસઠ આરસપ્રતિમા અને સોળ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. અહીં બે ગુરુમૂર્તિઓ તથા એક શ્રાવક-શ્રાવિકાની મૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત જિનાલયના પરિકરો સુંદર કોતરકામવાળા છે. તેવી નોંધ પણ થયેલો છે. આ બન્ને જિનાલયોની સ્થિતિ સારી દર્શાવી હતી અને વહીવટ શેઠ ધરમચંદ ઉદેચંદની પેઢી હસ્તક હતો. જયારે આદેશ્વરના ઘરદેરાસરમાં પંદર ધાતુમૂર્તિઓ બિરાજમાન હતી. આ ઘરદેરાસરમાં લાકડાનું કોતરકામ છે તેવી નોંધ પણ થયેલી છે. વહીવટ શા. અમૃતલાલ ત્રિભોવનદાસ હસ્તક હતો. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org