________________
પાટણનાં જિનાલયો
ભાગમાં લખાણ છે : “શા ઉમેદચંદ તલકચંદના સુપૌત્રો તરફથી રાણીવાલાનું આ ઘરદેરાસર બંધાવી શ્રી સંઘને અર્પણ કર્યું જે સંવત ૨૦૦૦ના ફાગણ સુદ પાંચમે પ્રતિષ્ઠા થઈ.”
૨૬૬
સંવત ૨૦૧૬ની સાલમાં શાંતિનાથ અને આદેશ્વરના ગભારાને ફરતે બાવન જિનાલય – દેરીઓની પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં એકાવન દેરીમાં એકાવન પ્રતિમાઓ છે જે પૈકી અગિયાર પ્રતિમાઓ સપરિકર છે. દેરીઓ ઉપર અર્પાકારે શિખરો કોતરેલ છે અને એક જ
રંગથી રંગવામાં આવેલા છે. બાવન જિનાલયના શરૂઆતના ભાગમાં જ ખૂણામાં ત્રણ મૂર્તિઓ છે જે પૈકી એક મૂર્તિ ઉપર સંવત ૧૪૩૮ શ્રી દેવપાલસૂરિ, બીજી મૂર્તિ ઉપર સંવત ૧૬૨૭ શ્રી શીલસાગરસૂરિ તથા ત્રીજી મૂર્તિ ઉપર સંવત ૧૬૫૨ શ્રી જિતચંદ્રસૂરિ નામ વંચાય છે. ઉપરાંત પગલાંની પાંચ જોડ છે જેની ઉપર નામ તથા વર્ષ લખેલ છે પરંતુ સુવાચ્ય ન હોઈને અત્રે
ઉલ્લેખ કરેલ નથી.
ઐતિહાસિક સંદર્ભ
અગાઉ આ વિસ્તાર પરાકોટડી, પરાકોડી તથા ખરાકોટીનો પાડો નામથી પ્રસિદ્ધ હતો. સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ષરાકોટડીમાં વાસુપૂજ્યસ્વામીના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
વાસપૂજ્ય પૂજ મન ભાવÛ જિન સુષસંપદ નિજ રિ આવઇં,
પરાકોટડી સુહાવઇ. ૧૩
ત્યારબાદ સં. ૧૬૧૩માં શાંતિનાથ તથા આદેશ્વરનાં જિનાલયો ઉપરાંત પાર્શ્વનાથના ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે. આ ઘરદેરાસર સાહા સદરથનું દર્શાવ્યું છે. તે સમયે પણ આ જિનાલય બાવન દેરીવાળું હતું.
ષરાકોડી મઝારે શાંતિ ભવન જઇ, ભાવના તિહા ભાવસું એ બાવન દેહરી માહિ દેઈ, પ્રદક્ષણા આદિ ભવન માહિ આવસૂ એ ૭૮
પ્રતિમા એકસુ નવ બેહૂ દેહરઇ થઈ, સાહા સદરથ ઘિર સાંચરુ એ તિહા છઇં પારશ્વનાથ ચંદવદન મુખ બિંબ પાંચ શેવા કરુ એ ૭૯
સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પરાકોટડી વિસ્તારમાં માત્ર બે ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે. ૧. ચંદ્રપ્રભુ (આસધીરના ઘરે) અને ૨. પાર્શ્વનાથ (સદયવછના ઘરે). જ્યારે તેની બાજુમાં આવેલા અષ્ટાપદમાં શાંતિનાથ તથા આદેશ્વરનાં જિનાલય ઉપરાંત ચંદ્રપ્રભુનું જિનાલય તથા બે ઘરદેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. ૧. પાર્શ્વનાથ (સોની તેજપાલના ઘરે) અને સુમતિનાથ (ટોકર સોનીના ઘરે). એટલે કે ખરાકોટડી અને અષ્ટાપદ વિસ્તાર એકબીજામાં ભળી ગયા હોય તેમ લાગે છે.
Jain Education International
સતસઠિ જિનવર હોઈ, પ્રણમી આવીઇ ષરાકોટડી જિહાં અછઇ એ.
આસધીર ઠાકર દેહરઇ, ચંદ્રપ્રભ જિનવર બિ પ્રતિમા પૂજી અછઇ એ ।।૨૬।।
For Personal & Private Use Only
www.jalnelibrary.org