________________
૨૬૦
પાટણનાં જિનાલયો
ટાંગડિયાવાડો આદેશ્વર-પદ્મપ્રભુ (સં. ૧૫૭૬ પૂર્વે)
ટાંગડિયાવાડામાં સહસ્ત્રફણા પાર્શ્વનાથના જિનાલયની સામેની બાજુ પથ્થરનું તથા આરસનું બનેલું અતિ પ્રાચીન એવું શ્રી આદેશ્વર-પદ્મપ્રભુનું સંયુક્ત શિખરબંધી જિનાલય આવેલું છે. પ્રાચીન ચૈત્યપરિપાટીઓમાં આ જિનાલય કયારેક પદ્મપ્રભુ, ક્યારેક આદેશ્વર તો ક્યારેક સંયુક્ત જિનાલય તરીકે ઓળખાય છે. આજે આ જિનાલયની સ્થિતિ સામાન્ય છે.
પ્રવેશદ્વારની બારસાખે તથા થાંભલા પર પૂતળીઓ અને વચ્ચે કમાનો છે. બહાર બે દ્વારપાલની રચના છે. પ્રવેશદ્વારની ઉપરની દીવાલની કોતરણી તથા રંગકામ સુંદર છે. બે બાજુ બે બારી ઉપર મદારી તથા નાગનું શિલ્પ છે.
રંગમંડપ સાદો છે. તેમાં બે ગોખ છે જે પૈકી એકમાં શેઠ-શેઠાણીની આરસમૂર્તિ અને અન્યમાં ભૈરવની આરસમૂર્તિ છે. મૂળનાયકની જમણી બાજુ રંગમંડપમાં એક દેવકુલિકા છે જેમાં પદ્મપ્રભુની ૪૯” ઊંચાઈવાળી પ્રતિમા બિરાજે છે. તેની આજુબાજુ ઋષભદેવનાં પગલાંની બે જોડ છે જેની ઉપર ‘સંવત ૧૮૮૮ પોષ વદ ૮' લખેલું છે.
ત્રણ ધારવાળા ગભારામાં મૂળનાયક તરીકે ૧૫” ઊંચાઈ ધરાવતી શ્રી આદેશ્વરની પ્રતિમા બિરાજમાન છે. ગભારામાં અગિયાર આરસપ્રતિમા તથા આડત્રીસ ધાતુપ્રતિમા છે. અહીં ચોવીસજિનમાતાનો આરસનો એક પટ છે. ઉપરાંત આરસની એક યક્ષમૂર્તિ તથા ત્રણ પેનલમાં ત્રણ ભગવાન છે. પગલાંની ત્રણ જોડ છે.
ઐતિહાસિક સંદર્ભ આ વિસ્તાર અગાઉ ત્રાંગડીયાવાડી તરીકે પણ પ્રચલિત હતો. આ વિસ્તારમાં સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પદ્મપ્રભુનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે :
ત્રાંગડીયાવાડા ભણી જિણ ભેટણ મુઝ પંતિ. ૧૬ પદમપ્રભ છઠ્ઠી નમઉં એ, પરિહરિ મનહ પ્રામાદ ત,
કુગતિ કુમતિ દૂરઇ ગમઉ એ, સુણિયઇ ઘંટહનાદ ત. ત્યારબાદ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
આવ્યા પાટકિ ત્રાંગડીઈ રે, ઋષભનઇ દેહરઈ ચડીઇ.. જિહાં પાપ અઢારઇ નડીએ રે, પુણ્યરયણે તિહાં વલી જડીઇl૩૧ જિમણાં પદ્મપ્રભ સ્વામી રે, પાસ પૂરઇ વંછિત કામી. ત્રણસઇ પંચ્યોત્તરિ પ્રતિમા રે, નિરુપમ જેહનઉ મહિમા ||૩ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org