SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૨ પાટણનાં જિનાલયો સહા સીરાજ દેહરાસરિ સંભવ જિનવર હોઇ, પ્રતિમા બિસઇ પંચાવન ભવિયણ ભાવૐ જોઈ. સં. ૧૭૨૯માં પંડિત. હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં તંબોલીવાડામાં માત્ર સુપાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે : તંબોલી વાડા મઝાર, સુપાસ નમું સુખકાર. એકસો ત્રીસ સદાએ, પ્રણમું જિન મુદાએ III સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં તંબોલીપાડામાં સુપાર્શ્વનાથ તથા મહાવીરસ્વામી – એમ બે જિનાલયો વિદ્યમાન હતાં : તંબોલી પાડા માંહિ, જગગુરુ શ્રી મહાવીર, લ, પૂજયે પ્રણમીયે ભાવનું મુખસોધન ગો ધીર. લ૦ ૧૪ પા.. પ્રાસાદ સામી સુપાસનો, શિષરબદ્ધ શ્રીકાર, લ૦ પરતો પરગટ દીપતો, ભવિજનનેં સુખકાર. લ. ૧૫ પા સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં તંબોલીપાડામાં એક જિનાલયનો ઉલ્લેખ મળે છે : એક ગૌતમપાડે તથા, દોય સાવાડે જોય; મહેતા તંબોલી કુંભારને, પાડે ઈક મન આણિ સં. ૭ સં. ૧૯૫લ્માં પ૦ હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં તંબોલિવાડામાં સુપાર્શ્વનાથ તથા મહાવીરસ્વામી – એમ બે જિનાલયો દર્શાવ્યાં છે : તંબોલિવાડે પ્રભુમાનમામિ શ્રી વદ્ધમાન ચ સુપાર્શ્વનાથ...! કુંભારપાડે પ્રભુમાદિદેવ, પાર્શ્વ ભટેવાભિધમાપ્તમુખ્યમ્ ||૨૦ની સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તંબોલીવાડામાં સુપાર્શ્વનાથ તથા મહાવીરસ્વામી – એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત તે સમયે ચાર ઘરદેરાસરો વિદ્યમાન હતાં. ૧. શા. માણેકચંદ ખેમચંદ, ૨. શા. પૂનમચંદ ગુલાબચંદ, ૩. શા. મોહનલાલ લલ્લુભાઈ અને ૪. શા. સાકલચંદ તારાચંદ. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં તંબોલીવાડામાં સુપાર્શ્વનાથ તથા મહાવીરસ્વામી ઉપરાંત શ્રેયાંસનાથ (તલકચંદ ડાહ્યાભાઈનું ઘરદેરાસર) – એમ કુલ ત્રણ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. આજે પણ તંબોલીવાડામાં સુપાર્શ્વનાથ અને મહાવીરસ્વામીનાં જિનાલયો વિદ્યમાન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy