________________
પાટણનાં જિનાલયો
૨૧૯
તંબોલિવાડે પ્રભુમાનમામિ શ્રી વદ્ધમાન ચ સુપાર્શ્વનાથમ્ |
કુંભારપાડે પ્રભુમાદિદેવ, પાર્શ્વ ભટેવાભિધમાપ્તમુખ્યમ્ ૨૦ગા. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ શિખર વિનાનું તરીકે થયેલો છે. જિનાલયમાં આઠ આરસપ્રતિમા તથા તેત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. જિનાલયના સમયના સંદર્ભમાં સં. ૧૯૫૭નો ઉલ્લેખ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયને ધાબાબંધી જિનાલય દર્શાવ્યું છે. જિનાલયમાં આઠ આરસપ્રતિમા તથા ચોવીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ સોની કાંતિલાલ ડાહ્યાભાઈ હસ્તક હતો.
આજે જિનાલય ઘુમ્મટબંધી છે. સંભવ છે કે સં. ૨૦૧૦ પછી જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોય. જિનાલયનો વહીવટ મુંબઈનિવાસી શ્રી જયંતિલાલ પોપટલાલ શાહ, શ્રી પ્રવીણચંદ્ર મફતલાલ શાહ તથા શ્રી સુરેશચંદ્ર નેમચંદ શાહ હસ્તક છે.
આ જિનાલયનો સ્પષ્ટ ઉલ્લેખ સં. ૧૭૨૯માં મળે છે. ઉપરાંત જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં જિનાલયનો સમય સં. ૧૬૫૭ દર્શાવ્યો છે. એટલે આ જિનાલય સં. ૧૬૫૭ આસપાસના સમયનું માની શકાય.
કુંભારિયાપાડો સુપાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૫૯ પૂર્વે)
પાટણમાં પ્રત્યેક પરિવારને પોતાનું ગૃહમંદિર પણ છે અને ગૃહમંદિરો પણ જિનાલય જેવી કોતરણીવાળા ! આવું જ એક ઘરદેરાસર કુંભારિયાપાડામાં આવેલું છે. બહારથી જોતાં તે મોટું જિનાલય હોવાનો ભ્રમ કરે. બહારની દીવાલે હાથી તથા બે બાજુ બે દ્વારપાળોનાં શિલ્પો છે. દેવીઓનાં શિલ્પો પણ અહીં છે. મુખ્ય પ્રવેશદ્વાર, તેની બારસાખ તથા તેની કમાનોમાં પણ દેવી તથા હાથીનાં શિલ્પો છે. મુખ્ય પ્રવેશદ્વારની બારસાખ પર “ભટેવા પાર્શ્વનાથ જૈન દેરાસર (સુપાર્શ્વનાથ)' – એ મુજબનું લખાણ છે.
રંગમંડપની દીવાલો પર મોટા અરીસા લગાડેલા છે. વળી, અહીં ગિરનાર તથા અષ્ટાપદના ચિત્રિત પટ છે. ઉપરાંત ભગવાન મહાવીરને કાને ખીલા ઠોકયાનું દશ્ય, અષ્ટાપદગિરિ પર ગૌતમસ્વામીએ લબ્ધિથી કરાવેલા પારણાનું દશ્ય, બાહુબલિ અને બ્રાહ્મીસુંદરીનો પ્રસંગ પણ ચિત્રિત થયા છે.
સુપાર્શ્વનાથનું આ ઘરદેરાસર ભટેવા પાર્શ્વનાથથી પણ પ્રસિદ્ધ છે. મૂળનાયક પ્રતિમાનું લાંછન સાથિયો છે. પ્રતિમા ઘણી વિશિષ્ટ છે. પ્રતિમા જિનાલય સમેત હોય તેવી છે. ૭” ઊંચાઈ ધરાવતી આ પ્રતિમાની આગળ બારણાં છે જે ઉઘાડ વાસ થઈ શકે છે. પ્રતિમા સપરિકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org