________________
૧૮૬
પાટણનાં જિનાલયો ફોફલિયાવાડામાં જઈ વસ્યો.”
શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે પાટણનાં સ્થળનામોના તેમના લેખમાં આ વિસ્તાર વિશે અન્ય મત ધરાવે છે. આ વિસ્તારની નોંધ કરતા તેઓ જણાવે છે કે “બજારથી દક્ષિણ તરફ જતાં ફોફલિઆવાડાથી ઓળખાતી પોળ આવે છે. અહીં ફોફર-સોપારીના વેપારીઓ રહેતા હોવાથી આ નામ પડ્યું હોય તેમ સૂચવે છે. જૂના પાટણમાં આ નામવાળો મહોલ્લો હતો. એમ એકે પ્રાચીન જૈન વંશાવલી પરથી જણાયું છે.”
ફોસલીયાવાડાના વિસ્તારનો ઉલ્લેખ સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં થયેલો છે. તે વિસ્તારમાં ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં :
ફોફલિયાવાડઈ નિરષિમું, જાઈ પાતક નામિ ત. ૨૧ ત્રિહું ભુવને ભાવઠિહરણ, ગુણગણ મહિ વિખ્યાત ત,
મદનમલણ વંછિત કરણ, જસુ અધિકા અવદાત ત. ૨૨" ત્યારબાદ સં૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ફોહલીઆવાડામાં સાત જિનાલયો પૈકી પાંચ ઘરદેરાસરોનો ઉલ્લેખ મળે છે. ૧. આદેશ્વર, ર પાર્શ્વનાથ, ૩. શેઠ ધણદત્તનું ઘરદેરાસર, ૪. પાર્શ્વનાથ (સેઠ પટૂઆના ઘરે), ૫. સાહા માધવનું ઘરદેરાસર, ૬. વાસુપૂજય (સઠ વીરાના ઘરે) અને ૭. વાસુપૂજય (પૂનમીયા ગચ્છનું).
ફોફલીઆ વાડઈ જઈઇ, જિનહર સાત તિહાં કહીએ, આદિ જિણેસર નાયક, મન વંછિત ફલ દાયક. ૪૬ ચુત્રીસ જિન ચૌદ પૂજઉ મનિહિં આણંદ, દેહર નવૂ સોહાકર ત્રેવીસમુ સુખસાગર. ૪૭ પ્રતિમા સતસ્ કહીઇ, મૂરતિ દેશી ગહગઇ, સેઠ ધણદત્ત ઘરિ હરપું, પર્આના ઘર માહિ પરપુ. ૪૮ દશ પ્રતિમાસૂઅ પાસ, પૂરાં મન તણી આસ, સાહા માધવ ઘરિ જોઈ, પ્રતિમા સાત તિહાં હોઈ. ૪૯ બારસમુ જિન ભાવું, સેઠિ વીરા ઘરિ આવું, પ્રતિમા એકાદશ જાણું, વાસપૂજ્ય મનિ આણું. ૫૦ પૂનમીયા દેહરઈ ચૌદ, પ્રતિમા દીઠઇં આણંદ,
વલીઆરવાડઈ દેહરું, શાંતિ જિણેસર કેરું. ૫૧ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ફોફલિઆવાડામાં અગિયાર જિનાલયો પૈકી આઠ ઘરદેરાસરો હતાં. એ સમયે આ વિસ્તાર જૈન શાસનના પ્રભાવનું મહત્ત્વનું કેન્દ્ર હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org