________________
પાટણનાં જિનાલયો
૧૭૫
ગર્ભદ્વાર ત્રણ છે. અહીં મુખ્ય ગર્ભદ્વારની ઉપર ભગવાનનો જન્માભિષેક, ડાબા ગર્ભદ્વા૨ ૫૨ સમવસરણની રચના તથા જમણી બાજુના ગર્ભદ્વાર પર અષ્ટાપદની રચના, પથ્થર પર ઉપસાવીને કરી છે. તેના પર રંગ કરવામાં આવ્યો છે.
અહીં શ્રી સીમંધરસ્વામીની ૧૭' ઊંચાઈ ધરાવતી પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં કુલ વીસ આરસપ્રતિમા છે જેમાં એક ચૌમુખજી, એક કાઉસ્સગ્ગિયા તથા એક ગોખમાં શિખરયુક્ત ચાર પ્રતિમાઓ છે. તથા સાડત્રીસ ધાતુપ્રતિમા છે જે પૈકી એક ચૌમુખજી છે. ડાબે ગભારે વાસુપૂજ્ય તથા જમણે ગભારે પાર્શ્વનાથ બિરાજમાન છે. મૂળનાયક પરના લેખમાં સં ૧૬૫૪ વાંચી શકાય છે.
ઐતિહાસિક સંદર્ભ
આ જિનાલયનો ઉલ્લેખ સં ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર મળે છે. ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં તથા સં. ૧૯૫૯માં પં હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સીમંધરસ્વામીનું આ જિનાલય શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં અઢાર આરસપ્રતિમા અને ચોત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૦૮માં લખીયારવાડામાં સીમંધરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ મળે છે.
જિનાલયનો વહીવટ મુંબઈનિવાસી શ્રી રમેશભાઈ ચીનુભાઈ શાહ તથા શ્રી મનહરભાઈ કેશવલાલ શાહ હસ્તક છે.
. મૂળનાયકની પ્રતિમા પર સં. ૧૯૫૪નો લેખ છે. તે સંદર્ભમાં આ જિનાલય સં ૧૬૫૪ આસપાસના સમયનું માની શકાય.
લખીયારવાડો, રાજકાવાડો મુનિસુવ્રતસ્વામી (સં. ૧૯૫૯ પૂર્વે) મનમોહન પાર્શ્વનાથ (સં. ૧૭૨૯ પૂર્વે)
રાજકાવાડા વિસ્તારમાં આવેલા લખીયારવાડામાં પ્રવેશતાં, ડાબી બાજુની ગલીની મધ્યે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બે માળનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. અહીં શિલ્પ તથા કોતરણીકલા અદ્ભુત હશે તેમ તેની બહારની એક ઝલક પરથી જ માલૂમ પડે છે.
જિનાલયની બહાર ઊભા રહી, જિનાલય પર નજર ઠેરવતાં, સૌ પ્રથમ આપણી આંખો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org