________________
૧૫O
પાટણનાં જિનાલયો
૮. દયાવિમલજીની પાદુકા પર સં. ૧૯૬રનો લેખ છે. ૯. ભગવાનની આરસની પ્રતિમા સહિતની એક નાની પાદુકા છે. ૧૦. અન્ય એક પાદુકા પર સં૧૯૬૩ વંચાય છે. ૧૧. સં. ૧૬૭૩માં વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરાવેલ પાદુકા છે.
તથા આ ગુરુમંદિરમાં આરસની એક ગુરુમૂર્તિ છે. તેના પર માત્ર સં૧૪૨૧ વાંચી શકાય છે.
જિનાલયની જૂની વર્ષગાંઠતિથિ વૈશાખ સુદ ત્રીજ અને નવી વર્ષગાંઠતિથિ શ્રાવણ વદ એકમ છે.
સં. ૨૦૧૪માં માગશર સુદ ૭ના રોજ ખાતમુહૂર્ત કરી માગશર સુદ ૮થી જીર્ણોદ્ધારનું કાર્ય શ્રી વિમલસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં શરૂ કરવામાં આવેલ જે સં. ૨૦૧૬ના શ્રાવણ સુદ પને રવિવારે તા : ૭-૮-૧૯૬૦ને દિને પૂર્ણ થયેલ. આ સમયે મૂળનાયક ભગવાન સિવાય બધા જ પ્રતિમાજીને ચલિત કરેલ અને પછી શ્રાવણ વદ ૧ને દિને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. અગાઉ જણાવ્યું તેમ ભાભા પાર્શ્વનાથના આ જિનાલયમાં પુનમચંદ લલ્લચંદ પરિવારનું શાંતિનાથનું ઘરદેરાસર તથા લહેરુભાઈ ઉજમચંદ પરિવારનું ધર્મનાથનું ઘરદેરાસર પધરાવવામાં આવ્યું છે. આ જિનાલયના રેડિયમના પટ તેની નવીનતાને કારણે ધ્યાન ખેંચે છે.
ઐતિહાસિક સંદર્ભ ભાભાના પાડા તરીકે ઓળખાતો આ વિસ્તાર સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ભીમષષ્ઠિ તરીકે ઓળખાતો હતો. તે વિસ્તારમાં ભાભા પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હતું.
ભીમષષ્ઠિ ભણસિલું ભણઉ એ, ભાભલે પારસનાથ ત,
કમઠમાણ જીણઈ મલ્યુ એ, મુગતિપુરીની સાથે તા. ૨૪ ત્યારબાદ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ભાભાનો પાડો વિસ્તારને કે ભાભા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળતો નથી.
સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ભાભાના પાડામાં ભાભા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. ઉપરાંત ધર્મનાથ (તેજપાલના ઘરે), સુમતિનાથ (સહસકિરણના ઘરે) તથા શાંતિનાથ (પંચાયણના ઘરે) – એમ કુલ ત્રણ ઘરદેરાસરોનો પણ ઉલ્લેખ મળે છે :
આરિ પ્રતિમા વલી તિહાં કહી જી, પાટક ભાભાનિ પાસ. ઇકાવન પડિમા પૂજઈ જી, પૂરઇ વંછિત આસ ||ી સુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org