________________
૧૩૦
પાટણનાં જિનાલયો હસ્તક છે.
ટૂંકમાં અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં. ૧૭૭૭ પૂર્વેનું હોવાનો સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે.
શામળાજીની શેરી, ખેતરવસી
શામળા પાર્શ્વનાથ (સં. ૧૫૭૬ પૂર્વે) ખેતરવસીમાં હાલ શામળાજીની શેરી તરીકે ઓળખાતી શેરી અગાઉ નિશાળની શેરી નામથી પ્રચલિત હતી.
શામળાજીની શેરીમાં પ્રવેશતાં જમણી બાજુ આસમાની રંગનું વિવિધ, સુંદર શિલ્પાકૃતિ- યુક્ત બે મજલાનું, ઘુમ્મટબંધી જિનાલય નજરે ચડે છે. જિનાલય બહારથી ઘણું સુંદર અને અનુપમ લાગે છે. પાટણમાં આ જિનાલયની રચના તદ્દન અલગ પ્રકારની છે.
જિનાલયમાં પ્રવેશતાં સામે જ ભોંયરામાં ઊતરવાના દાદર નજરે પડે છે. તેની આજુબાજુ પગથિયાંની રચના છે. ભોંયરાના પ્રવેશદ્વારની દીવાલો પર સુંદર શિલ્પકામ તથા કમાનોની કોતરણી છે. અહીં ગભારામાં મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથની શ્યામલ મૂર્તિ બિરાજે છે.
ભોંયરાની આજુબાજુ પગથિયાંની રચના છે જે ભોંયરાના રંગમંડપની બરાબર ઉપર લઈ જાય છે. આ પગથિયાંની પાસે ડાબી બાજુ નાના રંગમંડપયુક્ત ઍક ગભારામાં મૂળનાયક શ્રી આદેશ્વરની ધાતુપ્રતિમા બિરાજે છે.
પગથિયાં ચડતાં ડાબી બાજુ એક બીજો રંગમંડપયુક્ત ગભારો નજરે ચડે છે. આ ગભારામાં પણ શ્રી આદેશ્વરની ધાતુપ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. આ ગભારાની બાજુમાં જ અન્ય એક ગભારામાં મૂળનાયક શ્રી અજિતનાથ છે.
આમ અહીં ચાર ગભારા છે. ૧. શામળા પાર્શ્વનાથ (ભોંયરામાં), ૨. આદેશ્વર (જિનાલયમાં પ્રવેશતાં, ડાબી બાજુના ઉપર ચડવાનાં પગથિયાં પાસે), ૩. આદેશ્વર (ઉપરના માળે પ્રવેશતાં સન્મુખ આવતો ગભારો) અને ૪. અજિતનાથ (ઉપરના માળે આદેશ્વરના ગભારાની બાજુનો ગભારો)
જિનાલયનો બાહ્ય દેખાવ : - જિનાલયમાં પ્રવેશવા માટેના દ્વાર પાસે બન્ને બાજુ અંબાડીયુક્ત હાથીની રચના છે. તેની ઉપરનું સુંદર રંગકામ દર્શનાર્થીનું ધ્યાન ખેંચ્યા વગર રહેતું નથી. અહીં દીવાલો પર મૃગ, ગજ તથા ખૂણામાં સિંહાકૃતિઓની રંગકામયુક્ત રચનાઓ છે. વચ્ચે નાના નાના સુંદર ટોડલા છે. ઉપર અગાશી જેવી રચના છે. આવી રચના જોતાં અગાશી પાસે રંગમંડપ અથવા ગભારો હોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org