________________
રાજનગરનાં જિનાલયો
૬૦ ડાબી બાજુ શ્રી ગૌતમ સ્વામીની આરસની મૂર્તિ છે.
ટૂંકમાં, આ દેરાસર સં. ૧૯૧૨ પહેલાના સમયનું છે.
સુરદાસ શેઠની પોળ
કુંથુનાથ (સં. ૧૯૧૨ પહેલાં) આ દેરાસર ઘુમ્મટબંધી બે માળવાળું છે. ઉપરના માળે શ્રેયાંસનાથ ભગવાનનું દેરાસર છે. સં. ૧૯૧૨ની ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ આદીશ્વર ભગવાનના દેરાસર તરીકે થયેલો છે.
“સુરદાસ સુસાર શેઠ પોલ તેહના નામની
આદિ જિનને નિરખ સજનિ કાંતિ ન ભમે ભદામની ?” આ દેરાસરના લેખ ઉપરથી દેરાસર અંગેની કેટલીક વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે.
“પ્રથમ આ દેરાસર શ્રી આદિનાથ સ્વામીના પ્રાસાદથી પ્રસિદ્ધ હતું. તે લાકડાનું જીર્ણ સ્થિતિમાં હોવાથી તેનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરી, શ્રી સંઘે મૂળનાયક શ્રી આદિનાથને કાયમ રાખીને મેડા ઉપરના શ્રી શ્રેયાંસનાથ ભગવાન આદિ તમામ પ્રતિમાઓનું શ્રી વિજયોદયસૂરીજી મહારાજની શુભ નિશ્રામાં સં. ૨૦૦૮ના આસો વદ ૬ને ગુરુવારે વિજય મુહૂર્ત ઉત્થાપન કર્યું.
જીર્ણોદ્ધાર કરાવતાં મૂળનાયક શ્રી આદિનાથ સ્વામીના બિંબ ઉપરથી શ્રી કુંથુનાથ સ્વામીનો લેખ મળ્યો અને જણાયું કે આ પ્રતિમાજીના બિંબની અંજન શલાકા સં. ૧૫૦૬ના ચૈત્ર વદ પાંચમને ગુરુવારના રોજ, આચાર્ય શ્રી શેખરસૂરીશ્વરજીના શુભ હસ્તે થયેલી છે.”
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરનો ઉલ્લેખ આદિનાથજીના દેરાસર તરીકે થયેલો છે. મૂળનાયક પર સં૧૫૦૬ના લેખનો ઉલ્લેખ પણ તેમાં થયેલો છે. ઉપરાંત, તે સમયે સ્ફટિકના પાંચ પ્રતિમાજી તથા ગૌતમસ્વામીની એક મૂર્તિનો ઉલ્લેખ થયેલો છે.
સં. ૨૦૧૭માં ફાગણ વદ સાતમને ગુરુવારના રોજ શ્રી સંઘે અષ્ટાન્ડિકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યો હતો. આચાર્ય મહારાજ શ્રી વિજયઉદયસૂરીશ્વરજીની નિશ્રામાં પુન:પ્રતિષ્ઠા થઈ હતી. તે સમયે આચાર્યશ્રી નંદનસૂરીશ્વરજી, આચાર્ય શ્રી હર્ષસૂરીશ્વરજી આદિ ભગવંતોની નિશ્રા પણ પ્રતિષ્ઠામહોત્સવને પ્રાપ્ત થઈ હતી. જીર્ણોદ્ધારમાં શ્રી સંઘે આશરે રૂપિયા ત્રણ લાખનો ખર્ચ તે સમયે કર્યો હતો. ત્યારથી આ દેરાસર કુંથુનાથ સ્વામીના દેરાસર તરીકે પ્રચલિત થયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org