SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૨૧૩ મીટિંગો પ્રમુખોની ઇચ્છા મુજબ બોલાવવામાં આવતી. તેને બદલે વર્ષ દરમ્યાન નિયમિત સમયાંતરે અગાઉથી નિયત કરેલી તારીખે અને સમયે પેઢીની વહીવટી સમિતિની સભાઓ બોલાવવાનો નિયમ કર્યો. પેઢીના પ્રમુખ થયા પછી કસ્તુરભાઈએ સૌથી મોટું કામ કર્યું તે તીર્થોનાં મંદિરોનો જીર્ણોદ્ધાર. પેઢી હસ્તક ચાલતાં મંદિરો, ધર્મશાળા વગેરેના જીર્ણોદ્ધાર અંગે અગાઉથી ખર્ચનો અંદાજ માંગીને કામ શરૂ કરાવવાની પદ્ધતિ નહોતી. કસ્તુરભાઈએ જીર્ણોદ્ધાર માંગતાં સ્થાનોનો વિગતવાર અભ્યાસ કરીને વ્યવસ્થિત પદ્ધતિએ તેનું કામ હાથ ધર્યું. રાણકપુર, દેલવાડા, શત્રુંજય અને તારંગા તીર્થનાં મંદિરોનાં શિલ્પ-સ્થાપત્ય કળાની દષ્ટિએ જગપ્રસિદ્ધ હતા. પરંતુ સદીઓના ઘસારાને કારણે તેમ જ કાળજીભરી જાળવણીને અભાવે તેમાંના કેટલાક ભાગો ખંડિત થઈ ગયા હતા. કસ્તુરભાઈ સૌ પ્રથમ ઈ. સ. ૧૯૩૨માં (સં. ૧૯૮૮) રાણકપુરનાં મંદિરોના જીર્ણોદ્ધારનું કામ હાથ પર લીધું. એક અંગ્રેજ એન્જિનિયર મિ. બેટલી ભારતીય સ્થાપત્યમાં ઊંડો રસ ધરાવતા હતા. તેમને કસ્તુરભાઈ રાણકપુર લઈ ગયા. ચાર દિવસ રોકાઈને કસ્તુરભાઈએ ખંડિત ભાગોની વિગતે નોંધ કરાવી. મિ. બેટલીએ તેનો અહેવાલ તૈયાર કરીને પેઢીને સોંપ્યો. ચારે બાજુ ટેકરીઓની વચ્ચે જંગલમાં બિસ્માર હાલતમાં ઉપેક્ષિત રહેલું રાણકપુર તીર્થ પુનરુદ્ધાર થતાં નવી જ રોનક ધારણ કરી રહ્યું. મંદિરના વિશાળ મંડપમાં પૂરતો પ્રકાશ આવી શકે તેવી તેની બાંધણી કોઈપણ કલારસિકને આશ્ચર્ય પમાડે તેવી છે. જૂની કોતરણી જ્યાં જ્યાં ક્ષત થઈ હતી ત્યાં ત્યાં ભળી જાય તેવી નવી કોતરણી અને ભાત કારીગરોએ ઉપસાવેલી છે, મંદિરનું અપ્રતિમ સ્થાપત્ય અને તેની આસપાસનો વિશાળ ચોક આખાયે પ્રદેશને પોતાની સુંદરતા અને ભવ્યતાથી ભરી દે છે. આજે રાણકપુર માત્ર જૈનોનું જ નહિ પણ સર્વધર્મ અને દેશના પ્રવાસીઓને માટે કલાનું યાત્રાધામ બની રહ્યું છે. . (સં. ૨૦૦૨-૩) ઈ. સ. ૧૯૪૬-૪૭માં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓએ આબુ ઉપર આવેલા જગપ્રસિદ્ધ દેલવાડાનાં દહેરાંનો જીર્ણોદ્ધાર કરવાનું ઠરાવ્યું. આ તીર્થનો વહીવટ શિરોહીનું ટ્રસ્ટ કરતું હતું. કસ્તુરભાઈએ તેમની સાથે શરત કરી કે આણંદજી કલ્યાણજી તરફથી જીર્ણોદ્ધાર થાય તેમાં તેમણે કોઈ ફેરફાર કરવો નહીં. આ દેહરાનો જીર્ણોદ્ધાર કરવો તે સહેલું કામ નહોતું. એમાં જે આરસ વપરાયો હતો તે કુળનો આરસ વપરાય તો જ મૂળની સાથે એકરૂપ થાય તેવી પ્રતિકૃતિઓ સર્જી શકાય તેમ હતું. કસ્તુરભાઈએ એ પ્રકારના આરસની તપાસ માટે મિસ્ત્રીઓની સાથે આસપાસમાં આવેલી આરસની ખાણો જોવા નીકળી પડ્યા. છેવટે અંબાજીની નજીક દાંતાના ડુંગરોમાં એ કુળનો આરસ મળી આવ્યો. તેમણે પરિચિત વ્યક્તિની મારફત દાંતા રાજ્યને આ આરસ ખોદીને લઈ જવા મંજૂરી આપવા માટે અરજી કરી. દાંતા રાજ્ય અરજી નામંજૂર કરી. કસ્તુરભાઈએ નક્કી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy