________________
૧૭૬
રાજનગરનાં જિનાલયો આ બધા ઉપાશ્રયો ઘણા મોટા હોવા છતાં મહાવીર જન્મના દિવસે કે સંવત્સરીના પ્રતિક્રમણ સમયે શ્રાવકોની સંખ્યાના સંદર્ભમાં હંમેશાં અપૂરતા રહ્યા છે. આજે તો અમદાવાદના નદીપારના વિસ્તારોમાં અસંખ્ય ઉપાશ્રયો અસ્તિત્વમાં આવ્યા છે. શહેરનાં આ ઉપાશ્રયો ધીમે ધીમે શ્રાવકોની સંખ્યાની દૃષ્ટિએ તેની પ્રસ્તુતતા (Relevance)ગુમાવતા જાય છે. જ્યારે શહેર બહાર ઉપાશ્રય માટે વિશાળ જગ્યાની જરૂર પડે છે. મોટા બાંધકામની જરૂર પડે છે. અને તે માટેના મબલખ ફંડની જરૂર પડે છે. તેથી જે જે વિસ્તારોમાં શ્રાવકોની વસ્તી વધી છે તે તે વિસ્તારોમાં નવા નવા ઉપાશ્રયોની જરૂરિયાતની સમસ્યા વિકટ બનતી જાય છે. એક સમય એવો હતો કે નવા આવનાર જૈન કુટુંબને સંઘ ઉમંગભેર અને ઉલ્લાસભેર આવકરતો હતો. જ્યારે આજે સંઘનાં સભ્ય બનવા માટે અનેક જૈન કુટુંબોને મુશ્કેલી પડે છે. અને ઉપાશ્રયોની સંખ્યાની આ મર્યાદાને કારણે ઉપાશ્રય કે દેરાસરના સંઘ સાથે જોડાઈ ન શક્યા હોય તેવાં કુટુંબો પોતાનું અલગ મંડળ કે સંઘ રચે છે. ક્યારેક પર્યુષણ દરમ્યાન આઠ દિવસ માટે મંડપ બાંધીને કે કોઈ સોસાયટીના કે અન્ય કોઈ હોલમાં પર્યુષણ પર્વની આરાધના કરે છે. આ પરિસ્થિતિ ધીમે ધીમે વધુ વિષમ બનતી જાય છે.
સંદર્ભ સૂચિ જૈન પરંપરાનો ઇતિહાસ (ભા. ૩) પૃ. ૪૨૨, ૭૨૭, ૭૩૩, ૭૪૮, ૮૧૯. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા. ૪) પૃ. ૩૭૮, ૪૨૮. જૈન રાસમાળા (આવૃત્તિ ૧) પૃ. ૩૨, ૪૭, ૪૮, ૪૯. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત ભા. ૨) પૃ. ૩૬૮. સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૨૨૧, ૨૩૩. શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃ. ૧૯૮, ૨૩૦. શ્રી પટ્ટાવલી સમુચ્ચય (ભા૨) પૃ. ૨૧૮, ૨૬૯. શુભવેલી (પુનઃસંપાદિત આવૃત્તિ) (પંડિત કવિ શ્રી વીરવિજયજી વિરચિત) પૃ. ૧૮, ૨૧. મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી ચરિત્ર (આવૃત્તિ ૨) પૃ. ૨૨, ૨૩, ૨૪, ૨૫. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી પૃ. ૬૪. પંડિત શ્રી વીરવિજયજીનું જન્મચરિત્ર પૃ. ૧૦, ૧૧, ૧૩. શ્રી સુખસાગર ગુરુ ગીતા તથા શ્રી તપાગચ્છ સાગરશાખા પટ્ટાવલિ (આવૃત્તિ -૧) પૃ. ૧૩, ૧૯, ૨૦, ૨૩,
૩૨, ૩૩, ૩૫, ૩૯, ૪૬, ૪૭, ૭૯, ૯૪, ૧૬૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org