________________
૧૭૪
રાજનગરનાં જિનાલયો ઉપાશ્રય તરીકે સંઘને અર્પણ કરવાથી તે આંબલી પોળના ઉપાશ્રય તરીકે ઓળખાય છે.
શ્રી નેમિસાગરજીએ સં. ૧૯૧૩માં મુજપરમાં સ્વર્ગગમન કર્યું એટલે કે સં. ૧૯૧૦ની આસપાસ આજનો આંબલીપોળનો ઉપાશ્રય અસ્તિત્વમાં આવ્યો હશે.
સં. ૧૯૧૦માં નેમિસાગરજીએ પેથાપુરમાં એક શ્રાવકને દીક્ષા આપી, ધર્મસાગરજી નામ પાડ્યું હતું. આ ધર્મસાગરજી અમદાવાદના શેઠના પાડાના ઓશવાલ શ્રાવક હતા. સં. ૧૯૫૪ના આસો સુદિ ૧૧ના રોજ તેઓ કાળધર્મ પામ્યા હતા. તેમણે પાછલી અવસ્થામાં અમદાવાદમાં આંબલી પોળના ઉપાશ્રયે ઘણાં ચોમાસાં કર્યાં હતાં. ત્યારબાદ શ્રી સુખસાગરજી મહારાજે અમદાવાદમાં આંબલીપોળના ઉપાશ્રયમાં સં. ૧૯૬૨ તથા સં. ૧૯૬૫માં એમ બે ચોમાસા કર્યા હતાં. એમ કહેવાય છે કે તેઓ આંબલીની પોળના ઉપાશ્રયેથી શામળાની પોળ, રાજામહેતાની પોળ, કાલુશાહની પોળ અને લુણાવાડા સુધી ગોચરી વોરવા જતા હતા.
ઉજમફઈનો ઉપાશ્રય ઉજમબાઈ નગરશેઠ વખતચંદની પુત્રી હતાં, નગરશેઠ હેમાભાઈની બહેન હતાં અને નગરશેઠ પ્રેમાભાઈનાં ફઈ હતાં.
ઉજમબાઈએ ઝવેરીવાડ વાઘણપોળમાં પોતાનું રહેવા માટેનું મકાન ધર્મશાળાના ઉપયોગ માટે દાનમાં આપ્યું હતું. ત્યારથી તે મકાન શરૂઆતમાં ઉજમબાઈની ધર્મશાળા અને પછીથી ઉજમફઈની ધર્મશાળા તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું.
અહીં મુનિ મૂળચંદજી મહારાજ એક વાર લીંબડીથી વિહાર કરીને અમદાવાદ આવ્યા હતા. ઉજમબાઈની ધર્મશાળામાં ઊતર્યા હતા.
અહીં મુનિ વૃદ્ધિચંદ્રજીને હેમાભાઈ શેઠ વગેરે દરરોજ વંદન કરવા આવતા.
મુનિરાજ શ્રી બુટેરાયજીનો વિચાર પં. મણિવિજયજી, જેઓ લુહારની પોળના ઉપાશ્રયમાં રહેતા હતા. તેમના નામની દીક્ષા લેવાનો હતો. તે વિચાર શેઠ હેમાભાઈ વગેરેએ પસંદ કર્યો. પં. સૌભાગ્યવિજયજી પાસે યોગ વહેવા શરૂ કર્યા. યોગ પૂરા થયા એટલે વડી દીક્ષાને અવસરે મુનિ બુટેરાયજીનું નામ મુનિ બુદ્ધિવિજયજી અને પં. મણિવિજયના શિષ્ય તથા મુનિ મૂળચંદજીનું નામ મુનિ મુક્તિવિજયજી તથા મુનિ વૃદ્ધિચંદજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી તે બંને મુનિ બુદ્ધિવિજયજીના શિષ્ય એ પ્રમાણે ગુરુ-શિષ્યપણાની અને નામની સ્થાપના અનેક સાધુ-સાધ્વીઓ તથા શેઠ હેમાભાઈ વગેરે ચતુર્વિધ સંઘની સમક્ષ સં. ૧૯૧૨માં કરવામાં આવી. રહેવાનું સ્થાન ન ફેરવતાં ઉજમબાઈની ધર્મશાળા એ જ રાખવામાં આવ્યું. ત્યારપછી તે ચોમાસું ત્રણે મુનિરાજે ત્યાં જ કર્યું. એટલે કે ઉજમબાઈની ધર્મશાળાનો ઉપયોગ ઉપાશ્રય તરીકે શરૂ થયો હતો. ત્યારબાદ, ઉજમબાઈએ સં. ૧૯૨૯માં પૂજ્ય શ્રી મૂળચંદજી મહારાજના ઉપદેશથી પોતાનું ઘર જૈન ધર્મશાળા તરીકે સમર્પિત કર્યું. ત્યારથી તે મકાનનો ઉપયોગ ધર્મશાળા તરીકે થવા માંડ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org