________________
૧૭૨
રાજનગરનાં જિનાલયો ઉપાશ્રયથી નીકળી લુહારની પોળમાં ઉપાશ્રયે જઈને રહ્યા હતા. તે સમયથી લુહારની પોળનો ઉપાશ્રય વધુ પ્રસિદ્ધિમાં આવ્યો. સં. ૧૮૮૦માં તેઓ અમદાવાદની લુહારની પોળના ઉપાશ્રય ચોમાસું રહ્યા, ત્યારે તેમની સાથે બીજા ૧૧ મુનિવરો હતા. એટલે કે લુહારની પોળનો ઉપાશ્રય સં. ૧૭૯૭ પહેલાં કોઈપણ સમયે બંધાયો હશે.
આમ, લવારની પોળનો ઉપાશ્રય પણ ઘણો જૂનો ઉપાશ્રય છે.
પં. વીરવિજયના ગુરુ શુભવિજયજી મહારાજ સં૧૮૫૭માં લુહારની પોળના ઉપાશ્રયમાં આવ્યા હતા. આ ઉપાશ્રય માણેકસા શેઠે બંધાવ્યો હતો તેવો ઉલ્લેખ “શુભવેલી' પુસ્તિકામાં પ્રાપ્ત થાય છે.
“એક ચઉમાસ તિહાં થયું (૧૮૫૭) મૌન-એકાદસિ ત્યાંહિ રે, કરિયા બહુ સંઘસ્યું આવિયા અયસકારની પોલ માંહિ રે રહો રહો. માણકા સેઠે કરાવિયો જેહ ઉપાશ્રય સાર રે, તિહાં રહ્યાં ગુરુજી સંયમ સંઘે શ્રેષ્ઠી ઘરલાભ અપાર રે રહો રહો.” અયસસકારની પોળ એટલે લુહારની પોળ !
આ ઉપાશ્રયમાં લાકડાની કોતરણીવાળું, કુશળ કારીગરીવાળું, હલનચલન કરતું એક સમવસરણ છે. ઉપરાંત નેમિનાથ ભગવાનની, લાકડાની સુંદર કોતરણીવાળી ચૉરી છે. શહેરમાં . લાકડાની કોતરણીના જે કેટલાંક અનન્ય નમૂનાઓ સચવાયેલાં છે. તે પૈકીમાંના છે.
ડહેલાનો ઉપાશ્રય
(દોશીવાડાની પોળ) દોશીવાડાની પોળના નાકે આવેલો ડહેલાનો ઉપાશ્રય પણ ઘણો જૂનો છે. પં. શ્રી સત્યવિજયજી પરંપરાના પં. શ્રીમદ્ રૂપવિજયજી મહારાજશ્રીના સમયમાં આ ઉપાશ્રયની શરૂઆત થઈ હતી. સં. ૧૮૩૬માં ડહેલાના ઉપાશ્રયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
સં. ૧૮૩૨થી સં. ૧૮૩૬ દરમ્યાન શુભવિજયજી મહારાજ ડહેલાના ઉપાશ્રયમાં રહ્યા હતા. શુભવિજયજી પં. વીરવિજયજીના ગુરુ હતા. પં. વીરવિજયજી રચિત “શુભવેલી” ૧૪૯ કડીની લઘુ કાવ્ય કૃતિ છે. તે કાવ્યકૃતિમાં નીચે મુજબની પંકિતઓ આવે છે.
“ગુરુ રાજનગર પાઉધારિયા દોસીવાડાને ડેહલે હાય રે, મુણિંદ.
જોઈતા મોતી ભગતિ કરે નવી પોલના શ્રાવક જાય રે, મુણિંદ.”
ડહેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર ઘણો સમૃદ્ધ છે. અસંખ્ય જુની હસ્તપ્રતો ભંડારમાં સુરક્ષિત રાખવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org