SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો કાલુપુર ટંકશાળ તરફનો છે, તે રોડ પરનાં અન્ય મકાનોનો પણ હાજા પટેલની પોળમાં સમાવેશ થાય છે. આ તમામ પોળોનાં જૈન કુટુંબો માટે શ્રાવકોનો આ એક જ ઉપાશ્રય વિદ્યમાન છે. સાધ્વીજીઓના બીજા ઉપાશ્રયો આ વિસ્તારમાં છે. ૧૬૯ આ ઉપાશ્રયનો જ્ઞાનભંડાર ઘણો જ સમૃદ્ધ અને પ્રાચીન છે. એની સુવર્ણાક્ષરથી અંકિત વિવિધરંગી અનેક ચિત્રોવાળી ‘કલ્પસૂત્ર’ની એક હસ્તપ્રત ભારતભરના ભંડારોમાં અનન્ય ગણાય છે. ટૂંકમાં, વિક્રમના ૧૭મા સૈકામાં હાજા પટેલની પોળનો આ ઉપાશ્રય રાજનગરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતું. એક એવો ઉલ્લેખ પણ મળે છે કે એક વખત આચાર્ય શ્રી હિરવિજયસૂરિજી અમદાવાદના કાલુપુરમાં આવ્યા અને જ્યારે ઉપાશ્રયમાં પ્રવેશ કરી, શ્રાવકોને ઉપદેશ આપવા નવા બનાવેલા એક ગોખલામાં બેસવાની રજા માંગી ત્યારે શ્રાવકોએ કહ્યું કે, “એ ગોખલો તો આપના માટે જ ખાસ બનાવ્યો છે.” ત્યારે સૂરિજીએ કહ્યું કે, ત્યારે તો અમને ખપે જ નહીં.” અને તે પછી ત્યાં રાખેલા લાકડાની પાટ પર આસન કરી શ્રાવકોને ઉપદેશ આપ્યો. સૂરિજી સં. ૧૬૪૭ અને સં. ૧૬૪૮ દરમ્યાન અમદાવાદમાં રહ્યા હતા. એટલે કે કાલુપુરના હાજા પટેલની પોળનો આ ઉપાશ્રય સં. ૧૬૪૭-૪૮ દરમ્યાન પણ અસ્તિત્વમાં હતો એવો નિર્ણય થઈ શકે છે. દોશીવાડાની પોળ-નીશા પોળનો ઉપાશ્રય સં. ૧૬૨૪માં બે ઉપાશ્રયોનો ઉલ્લેખ આવે છે. એક દોશીવાડાની પોળમાં અને બીજો નીશાપોળમાં. આ બંને ઉપાશ્રયો હિરવિજયસૂરિજીના સંઘાડાના હતા. તે સમયે રત્નવિજયસૂરિ અને તેમના બે શિષ્યો અમદાવાદમાં આવ્યા હતા. પરંતુ તેઓ તેમના બે શિષ્યોની સાથે એ વિસ્તારમાં એક સંઘવીની વખારમાં ઊતર્યા હતા. તે સમયે પ્રવર્તમાન અન્ય બધા જ યતિઓ શ્રી હિરવિજયસૂરિની આજ્ઞામાં રહેતા હતા. દોશીવાડાની પોળનો એ ઉપાશ્રય તથા નીશાપોળનો એ ઉપાશ્રય ચોક્કસ કયા સ્થાન પર હતો તે નક્કી કરવું મુશ્કેલ છે. આજે નીશાપોળમાંથી દોશીવાડાની પોળમાં જવાના રસ્તાની બારી પાસે ઉપરના મેડા ઉપર એક જૂનો ઉપાશ્રય વિદ્યમાન છે, જે થોડાંક વર્ષો પહેલાં સાધ્વીજીઓનો ઉપાશ્રય હતો. ઉપરાંત, નીશાપોળનાં વૃદ્ધ વડીલો પાસેથી જાણેલી હકીકત પ્રમાણે નીશાપોળમાં એક ખૂબ જ નાનો સ્ત્રીઓનો ઉપાશ્રય હતો, જ્યારે રીલીફરોડનું નિર્માણ થયું. ત્યારબાદ આજે જ્યાં રાવ કુટુંબનું પાંચ માળનું મોટું એક મકાન વિદ્યમાન છે તે જગ્યાની આસપાસ સ્ત્રીઓનો આ ઉપાશ્રય હતો તેવી વિગતો સાંપડે છે. જો કે એક વાત સ્પષ્ટ થાય છે કે સં ૧૬૨૪ની આસપાસ એ વિસ્તારમાં બે ઉપાશ્રયો હતા. સં. ૧૭૮૬માં દોશીવાડાની પોળના ઉપાશ્રયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે સમયે પં. ક્ષમાવિજયગણિએ દોશીવાડની પોળમાં ચાતુર્માસ સ્થિરતા કરી હતી. તેઓએ પોતાના શિષ્ય શ્રી જિનવિજયમુનિને બોલાવ્યા અને સંઘ તેમને ભળાવ્યો. તેઓ સં ૧૭૮૬ના આસો મહિનાની અગિયારસના દિવસે કાળધર્મ પામ્યા. શ્રી સંઘે સાબરમતીના કિનારે તેમના દેહનો અગ્નિસંસ્કાર ૨૨-૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy