SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ રાજનગરનાં જિનાલયો પરામાં રહેતો હતો. તે આચાર્ય વિજયદાનસૂરિ અને વિજયહીરસૂરિનો ભક્ત હતો. તે સમયનો તે બહુ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત જૈન શ્રીમંત અગ્રણી હતો. અહમદપુરનો ઉલ્લેખ સં૧૬૧૬માં પણ મળે છે. સં. ૧૫૮૩ કારતક સુદ-૧૩ને ગુરુવારે આચાર્ય ભાવસાગરસૂરિના શિષ્ય લાભમંડને “ધનશાળ પંચશાળિ રાસની રચના અમદાવાદમાં કરી હતી. તેમાં અહમદપુરનો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે. દેસ સવિહુ માહિ જાણીઈએ, માલ્ડંતડે, ગૂજર દેશ પ્રસિદ્ધ, તિહાં અહિમ્મદપુર વર ભૂલું, મા વાસ જિહાં લક્ષ્મી કીધ.” સં. ૧૭૧૦ પછીના સમય દરમ્યાન આચાર્ય શ્રી વિજયદેવસૂરિએ પોતાનું ટૂંકું આયુષ્ય જાણી અહમદપુરમાં ચોમાસું કરી શત્રુંજયની જાત્રા કરવા વિહાર કર્યો તે મુજબનો ઉલ્લેખ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરમહારાજે સંપાદન કરેલ “જૈન રાસમાળામાં કર્યો છે. ટૂંકમાં, અહમદપુર ૧૬મા સૈકા દરમ્યાન, ૧૭મા સૈકામાં તથા ૧૮માં સૈકાના પ્રારંભમાં જૈનોની વસ્તીવાળું એક પ્રાણવંત કેન્દ્ર હશે. તેથી ત્યાં આદિનાથ ભગવાનનું વિશાળ બાવન જિનાલય અસ્તિત્વ ધરાવતું હશે.” નિઝામપુરા, રક્તપુર, બાધનપુર નિઝામપુરાને નઝામપુરી તરીકે ઓળખવામાં આવતું હતું. બાધીનપુરને બહાદીનપુર તરીકે ઓળખવામાં આવતું હતું. આ બે પરાંઓનો વિસ્તાર નક્કી થઈ શક્યો નથી. તે અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. નિઝામપુરાનો ઉલ્લેખ “મિરાતે અહમદી'માં જણાતો નથી. રક્તપુરનું સ્થાન પણ નક્કી થઈ શકતું નથી. નઝામપુર, બાધીનપુર અને રક્તપુર આ વિસ્તારો કોઈ એક જ દિશામાં પાસે પાસે આવેલા હશે એવું અનુમાન કરી શકાય. લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં આ વિસ્તારોનો ક્રમ નીચે મુજબ છે. નિઝામપુર બાધીનપુર રક્તપુર નિઝામપુરા | નિઝામપુરીમાં ચંદ્રપ્રભુ, શીતલનાથ તથા ધર્મનાથ ભગવાનના–એમ કુલ ત્રણ જિનાલયો હતો. ઉપરાંત, બાધીનપુરમાં ધર્મનાથ ભગવાનનું જિનાલય હતું. રક્તપુરમાં શાંતિનાથ ભગવાનનું જિનાલય હતું. લાવણ્યસમય રચિત “યશોભદ્રસૂરિ રાસ'માં બાધીનપુર-બહાદ્દીનપુરનો તથા ધર્મનાથપ્રસાદનો ઉલ્લેખ સં. ૧૫૮૯માં મળે છે જે નીચે મુજબ છે : “સંવત પનર નિવાસીઈ, માઘ માસિ રવિવાર, અહમદાવાદ વિશેષીઈ, પુર બહાદીન મઝારિ. ધર્મનાથ પસાઉં લઈ, બોલિઉં સુલલિત વાણિ. ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy