________________
૫૨૪
૧૮૫૩
૧૮૫૫
૧૮૫૬
૧૮૫૮
૧૮૬૦
૧૮૬૧
૧૮૬૨
૧૮૭૧
૧૮૭૨
Jain Education International
સુરતનાં જિનાલયો
૨. પ્રેમચંદ લવજી, (રાધનપુરના) મસાલીયા ગોવિંદજી અને (લીંબડીના) હૃદયરામ દિવાન એ ત્રણે જણાએ મળી સંઘ કાઢી મોરવાડના ગોડી પાર્શ્વનાથની-મોટી જાત્રા કરી.
— ૧. શ્રી જિનચંદ્રસૂરિ ચાતુર્માસ રહ્યા.
૨. કવિ જવિજયકૃત ‘૧૪ બોલની ચોવીસી’ જેઠ વદ ૩ને દિને શ્રી આગમસાગર શિષ્ય પ્રધાનસાગર શિષ્ય દિણયરસાગરે ઋષભદેવ પ્રસાદે લખી.
—
૩. પં. અમરવિલાસ મુનિએ નિર્વાણ-કલિકાની પ્રતિ લખી.
શ્રી સમયપ્રમોદકૃત ‘જિનચંદ્રસૂરિનિર્વાણ રાસ’ (૨ સં. ૧૬૭૦ પછી રચાયેલ)ની ચાર પત્રની પ્રતિ રાજભદ્ર માટે લખાઈ.
— ૧. બૃહત્ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિ દક્ષિણમાં અંતરિક્ષ પાર્શ્વનાથની યાત્રા કરી સુરત આવી જેઠ સુદ ૩ને દિને કાળધર્મ પામ્યા.
-
૨. શ્રી હિતરંગમુનિને ઉત્સવપૂર્વક જેઠ સુદ ૧૫ને દિને સૂરિપદ મળ્યું. તેમનું નામ શ્રી જિનહર્ષસૂરિ રાખ્યું. તે વખતે નગરમાં શ્રી સંઘે તેમની પાસે ચૈત્યબિંબ પ્રતિષ્ઠા કરાવી.
૩. શ્રી જિનહર્ષસૂરિ ચાતુર્માસ રહ્યા.
શ્રી વિજયલક્ષ્મીસૂરિ ૬૪ વર્ષની વયે કાળધર્મ પામ્યા.
સુરતના પ્રેમચંદ ઝવેરચંદ અને જોઈતીના પુત્ર સવાઈચંદે અજારા પાર્શ્વનાથના નવા દેવાલયમાં વૈશાખ સુદ ૫ સોમવારે ત૰ વિજયજિનેન્દ્રસૂરિ પાસે એક નવી પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી.
ભ૰ કીર્તિરત્નસૂરિ શિ૰ પં બુદ્ધિરત્ન શિ૰ કાંતિરત્નએ ઉપા૰ વિનયવિજયકૃત શ્રીપાલ રાસ(૨ સં. ૧૭૩૮) જેઠ સુદ ૧ બુધવારે મકવાણા રાજ્યે શાંતિનાથ
પ્રાસાદે લખ્યો.
શેઠ ડાહ્યાભાઈ નવલખાએ મારવાડનો સંઘ કાઢ્યો હતો ત્યારે સંઘ સહિત મારવાડમાં ગોડી પાર્શ્વનાથને ભેટ્યા હતા. સંઘમાંથી પાછા આવી સુરતના વડાચૌટામાં નગરશેઠની પોળમાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું મોટું જિનાલય બંધાવ્યું.
શ્રી વીરવિજયજીએ ચોમાસું રહીને શ્રાવણ માસમાં પાંચ ઢાળનું ‘અક્ષય નિધિ તપ’ સ્તવન રચ્યું.
=
૧. સાગરગચ્છના પં. ન્યાયસૌભાગ્યગણિએ શ્રાવણ સુદ ૭ને શુક્ર ઉદયરત્નકૃત ‘લીલાવતી સુમતિવિલાસ રાસ'ની ૧૬ પત્રની પ્રત લખી.
૨. પં. નિત્યવિજયગણિ પં. જિનસ્તકેને ગોપીપુરા મધ્યે કાર્તિકી ૧૩ ભોમે શ્રી
For Personal & Private Use Only
www.jainelibrary.org