________________
પરિશિષ્ટ-૧
સુરતની જૈન ઘટનાઓની તવારીખ
વિક્રમ સંવત
પ્રસંગ
૧૫૭૬
અંચલગચ્છના મેરૂતુંગસૂરિના શિષ્ય માણિક્યસુંદરસૂરિકૃત પૃથ્વીચંદ્રચરિત્ર અથવા વાગ્વિલાસ પં. લાવણ્યભદ્રગણિના શિષ્ય વૈ. શુ૧ રવિવારના
રોજ રાંદેર મધ્યે લખ્યું. ૧૫૭૯ – ગુજરાતી રૂપા ઋષિએ જીવા નામના ઓસવાલને પ્રવજયા આપી. - ૧૬૦૯ – અંચલગચ્છના લાભશેખર શિષ્ય કમલશેખરે આસો માસની ત્રીજે નવતત્ત્વ
ચોપાઈ(૬૫ કડી)ની રચના કરી. ૧૬૧૩ – ૧. તપાગચ્છનાયક વિજયદાનસૂરિએ સુરત બંદરમાં ચોમાસું કર્યું.
૨. વિજયદાનસૂરિએ નાડલાઈવાસી ઓસવાલ બાલક જયસિંહને તેની માતા
સાથે દીક્ષા આપી. તેનું નામ જયવિમલ રાખ્યું જે પછીથી હીરવિજયસૂરિના
પટ્ટધર વિજયસેનસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. ૧૬૪૫ – શ્રી જિનચંદ્રસૂરિ સં. ૧૬૪૪માં શિવાસોમજીના સંઘ સાથે શ્રી સિદ્ધાચલની
યાત્રા કર્યા પછી સુરત આવ્યા અને સંત ૧૬૪પમાં ચાતુર્માસ રહ્યા. ૧૬૫૩ – ૧. શ્રી ધર્મમૂર્તિસૂરિએ ચોમાસું કર્યું.
૨. શ્રી ધર્મમૂર્તિસૂરિની પ્રેરણાથી શ્રી સંભવનાથના જિનાલયની સ્થાપના થઈ. ૧૬૬૪ – હીરવિજયસૂરિના શિષ્ય મુનિવિજયના શિષ્ય દર્શનવિજયે નેમિજિન સ્તવન
પ૯ કડીનું જુદા જુદા રાગમાં રચ્યું. ૧૬૭૩ – પં. લાભસાગરે પોષ વદિ ૫ ગુરુવારે નિજામપુરામાં “હીરવિહાર'ની પ્રતિષ્ઠા
કરી તેમાં ઓસવાલ જ્ઞાતિય શાઇ વસ્તાની પુત્રીએ શ્રી હીરવિજયસૂરિની " પાદુકા પ્રતિષ્ઠિત કરાવી. ૧૬૭૪ - મહો. રત્નચંદ્રગણિવરે આ મુનિસુંદરસૂરિએ રચેલા “અધ્યાત્મકલ્પદ્રુમ'ની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org