________________
સુરતનાં જિનાલયો
૩૧૫
શ્રી ભદ્રગુપ્તસૂરિ મ. સા.ની નિશ્રામાં થયેલ છે. એક આરસપ્રતિમા છે.
સેલવાસ ૬૨. શ્રી ત્રિભુવન પાર્શ્વનાથ (સં. ૧૮૬૦) સેલવાસમાં વુડલેન્ડ હોટેલની પાછળ શ્રી માંગીલાલ પ્રેમચંદ શાહ પરિવારનું ઘરદેરાસર છે. મૂળનાયક શ્રી ત્રિભુવન પાર્શ્વનાથ છે.
પ્રતિષ્ઠા સંત ૨૦૫૩માં વૈશાખ સુદ સાતમના રોજ શ્રી વિમલસેનવિજયજી મ. સા. ની નિશ્રામાં શ્રી માંગીલાલ પ્રેમચંદ શાહ પરિવાર દ્વારા થયેલી છે.
૧૭” ઊંચી મૂળનાયક શ્રી ત્રિભુવન પાર્શ્વનાથની આરસપ્રતિમા પર સં. ૨૦૫ર મહા સુદ ૧૩ શ્રી હિમાંશુસૂરિ મ. સા.નું નામ વાંચી શકાય છે, એક ધાતુપ્રતિમા છે.
સેલવાસ
૬૩. શ્રી આદેશ્વર (સં. ૧૮૬૦) સેલવાસ, દાદરા નગર હવેલીમાં વુડલેન્ડ હોટલની સામે, મેઇન રોડ પર સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી આદેશ્વરનું ધાબાબંધી જિનાલય આવેલું છે. પાસે ધર્મશાળા તથા ઉપાશ્રય છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૩૨ ફાગણ સુદ ૧૦ના રોજ શ્રી જયદર્શનવિજયજીના પટ્ટાલંકાર શ્રી રવિચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં થયેલ છે.
જિનાલયમાં માણિભદ્રવીરની મૂર્તિ છે. અષ્ટાપદ, નવપદજી, સમેતશિખર, શત્રુંજય, આબુ તથા ગિરનારના પટ છે. ૨૭” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની આરસપ્રતિમા પર સંત ૨૦૩૨નો લેખ છે. ડાબી બાજુ શીતલનાથ તથા જમણી બાજુ અજિતનાથ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે.
- ફાગણ સુદ ૧૦ની વર્ષગાંઠના દિને જમણવાર થાય છે તથા શ્રી માંગીલાલ પ્રેમચંદ શાહ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી આદેશ્વર જૈન દેરાસર પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી જેઠમલભાઈ ભગવાનદાસ, શ્રી ભરતભાઈ શાંતિલાલ શાહ તથા શ્રી રતિલાલ ચુનીલાલ હસ્તક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org