________________
આગમમંદિર રોડ, ગોપીપુરા
૧. શ્રી મહાવીર સ્વામી (સં. ૨૦૦૪) શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમમંદિર તરીકે પ્રચલિત શ્રી મહાવીર સ્વામીનું, ત્રણ મૂળનાયકોવાળું, ભોંયરાયુક્ત આરસનું બનેલું સામરણયુક્ત જિનાલય આવેલું છે. અહીં ૪૫ આગમો તામ્રપત્ર પર ઉપસાવવામાં આવ્યા છે તેથી આ જિનાલય આગમમંદિર તરીકે ઓળખાય છે. ગોપીપુરાનો આ વિસ્તાર આગમમંદિર રોડ તરીકે પ્રસિદ્ધ છે. ભોયરામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ તથા ઉપરના માળે (અગાશીમાં) મૂળનાયક શ્રી આદેશ્વર છે. * જિનાલયમાં પ્રવેશવા માટે બને બાજુ આરસના પગથિયાંની રચના છે. ઝરૂખા જેવી શૃંગારચોકીમાંથી રંગમંડપમાં પ્રવેશવાનું કાષ્ઠનું વિશાળ દ્વાર છે. દ્વારની ડાબી બાજુ માણિભદ્રવીર તથા જમણી બાજુ સિદ્ધાયિકાદેવીના ગોખ છે જેને કાચથી બંધ કરેલ છે. - રંગમંડપ ઘણો વિશાળ છે. છત પર રંગકામ થયેલ છે. બન્ને બાજુ દીવાલો પર ૪૫ આગમો તામ્રપત્ર પર ઉપસાવીને કાચની ફ્રેમમાં મઢી સુરક્ષિત કરવામાં આવ્યા છે. અહીં ડાબી તથા જમણી બાજુ મળીને કુલ ચુમ્માળીસ આરસપ્રતિમા છે તથા બન્ને બાજુ એકેક ચૌમુખી પ્રતિમા આરસની ચિત્રકામયુક્ત બેઠક પર બિરાજમાન છે. તામ્રપત્રોની ઉપરની દીવાલમાં મહાવીર સ્વામીના કલ્યાણકોના પટ પથ્થરમાં કોતરાવી રંગ કરાવી કાચની ફ્રેમમાં ફટ કર્યા છે. તેમાં ચંદનબાળા દ્વારા પ્રભુને પારણું, ચ્યવન કલ્યાણક, જન્મકલ્યાણક, જન્માભિષેક, પ્રભુ દ્વારા દેવાતું સાંવત્સરિક દાન, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક, પ્રભુ વરની અંતિમ દેશના, નિર્વાણ-કલ્યાણક, ગૌતમસ્વામી કેવલોત્સવ પ્રસંગ, વીરપ્રભુ દ્વારા તીર્થની સ્થાપનાના પ્રસંગનો સમાવેશ થાય છે. રંગમંડપમાં ધ્યાનાકર્ષક બે મોટા ઘંટ છે જેના પર સં. ૨૦૦૪ કોતરેલ છે.
ત્રણ ગર્ભદ્વાર છે. ૩૯” ઊંચી શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા સહિત કુલ અગિયાર આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે. ડાબા ગભારે શ્રી પાર્શ્વનાથ તથા જમણા ગભારે શ્રી શાંતિનાથ છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે : આ “શ્રી વીર ૨૪૬૯ વિક્રમ ૧૯૯૯ શાલિવાહન ૧૯૬૭ ક્રાઈષ્ટ ૧૯૪૩ વર્ષે માઘમાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org