________________
સુરતનાં જિનાલયો
૨૮૯
૩૧” ઊંચી મૂળનાયક શ્રી કુંથુનાથ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી વાસુપૂજ્યસ્વામી તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની – ચૌમુખી આરસપ્રતિમા બિરાજે છે.
ફાગણ સુદ ત્રીજની વર્ષગાંઠને દિને જમણવાર થાય છે. વહીવટ શ્રી સંજાણ જૈન શ્વેત મૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી ભભૂતમલજી ભીખમચંદજી નાહર, શ્રી મદનરાજ વક્તાવરમલાજી નાહર તથા શ્રી ધીરજમલ વાલચંદજી પરમાર હસ્તક છે.
ગામ - સરીગામ, તાલુકો - ઉમરગામ
૧૩. શ્રી કુંથુનાથ (સં. ૨૦૪૫) વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા મથકથી ૨૦ કિ. મી.ના અંતરે તથા ભીલાડ સ્ટેશનથી (વેસ્ટમાં) ૨ કિ. મી.ના અંતરે સરીગામ આવેલું છે. ગામમાં ૪૫ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં બે વ્યક્તિઓએ દીક્ષા લીધી છે. મેઈન રોડ પર ઉપાશ્રય છે.
પૂર્વે અહીં શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું ઘરદેરાસર હતું. આરસનું શ્રી કુંથુનાથનું શિખરબંધી જિનાલય બનતાં આ ઘરદેરાસરની પ્રતિમા સં. ૨૦૪૫ પોષ વદ એકમને દિને શ્રી રવિચંદ્ર મ સાની પ્રેરણાથી પૂ. નયવર્ધનવિજયજી મ. સા.ની નિશ્રામાં જિનાલયમાં પધરાવવામાં આવી છે.
હાલ ગામમાં શ્રી કુંથુનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. પ્રતિષ્ઠા સં. ૨૦૪૫માં પોષ વદ એકમને દિને પૂ. નયવર્ધનવિજયજી મ. સા.ની નિશ્રામાં મુંબઈનિવાસી શ્રી જયંતિભાઈ તલકચંદ શાહ (રૂમાલવાળા) પરિવાર દ્વારા થયેલ છે.
૩૩” ઊંચી મૂળનાયક શ્રી કુંથુનાથની પ્રતિમા પર સં. ૨૦૨૫નો લેખ છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે. ડાબી બાજુ સુમતિનાથ તથા જમણી બાજુ સીમંધરસ્વામી બિરાજમાન છે.
ઉપર શિખરમાં ૧૭” ઊંચી મૂળનાયક શ્રી કુંથુનાથની ડાબી બાજુ પાર્શ્વનાથ તથા જમણી બાજુ સંભવનાથ છે. કુલ ત્રણ આરસપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ - સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ભીલાડથી દોઢ માઇલ દૂર આવેલ સરીગામમાં સરદારમલજી નવલાજીને ત્યાં શ્રી ચંદ્રપ્રભુનું ઘરદેરાસર હોવાની નોંધ છે. કુલ એક ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૬૫માં શ્રી સંઘે ઘરદેરાસર બંધાવ્યું હતું. વહીવટ શેઠ સરદારમલજી નવલાજી હસ્તક હતો. મૂળનાયક પર સં. ૧૬૧૮નો લેખ હતો અને સ્થિતિ સાધારણ હતી. ગામમાં ૫૦ જૈન કુટુંબો હતાં.
ઉપર્યુક્ત ઘરદેરાસર કુંથુનાથના જિનાલયમાં પધરાવી દેવામાં આવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org