________________
૨૭૬
સુરતનાં જિનાલયો
ગિરનારનો પટ છે. અહીં માણિભદ્રવીર તથા પદ્માવતીદેવીની દેરી છે.
જેઠ સુદ ત્રીજને વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે. ધજાનો ચડાવો બોલાય છે. સ્થિતિ સારી છે. વહીવટ શ્રી જૈન શ્વેમૂ. સંઘ – રાનકુવાના ટ્રસ્ટીઓ – શ્રી છગનલાલ નેમચંદ શાહ, શ્રી ચંપકલાલ ડાહ્યાજી શાહ, શ્રી ચંદ્રકાન્તભાઈ વીરચંદ શાહ, શ્રી કિરીટભાઈ ભગવાનદાસ શાહ તથા શ્રી રમણલાલ છગનલાલ શાહ હસ્તક છે.
- સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ ઘરદેરાસરનો ઉલ્લેખ થયો નથી. ત્યારબાદ કોઈ પણ સમયે આ ઘરદેરાસર બંધાયું હશે.
ગામ - હોન્ડ, તાલુકો - ચીખલી
૩૪. શ્રી શીતલનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૨૮) ચીખલી તાલુકાથી ૧૦ કિ. મી.ના અંતરે આવેલ હોન્ડ ગામે હાલ બે જૈન કુટુંબો વસે છે. અહીં ઘોડા ફળિયામાં શ્રી રમણીકલાલ ખૂમચંદ જરીવાલાના ફાર્મમાં શ્રી શીતલનાથનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૨૮માં શ્રી લલિતમુનિ મ. સા.ની નિશ્રામાં વિધિકાર શ્રી બિપીનભાઈ (ગોપીપુરા, સુરત) હસ્તે થયેલ છે. ૭” ઊંચી મૂળનાયક શ્રી શીતલનાથની એક ધાતુપ્રતિમા છે.
ગામ - વાંસદા, તાલુકો - વાંસદા
૩૫. શ્રી સંભવનાથ (સં. ૨૦૩૬) નવસારીથી ૬૫ કિ. મી., સુરતથી ૧૦૦ કિ. મી. અને નવસારીથી ૬૫ કિ. મી.ના અંતરે વાંસદા ગામ આવેલું છે. અહીં પપ ઇન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં બે વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે. રાજા રજવાડાના ગામ તરીકે ઓળખાતા આ ગામમાં ચોખા સારા પ્રમાણમાં થાય છે. ગામમાં શ્રાવકનો ઉપાશ્રય તથા આયંબિલશાળા છે. શ્રી સિદ્ધિ રામ રત્નત્રયી આરાધના ભવન નામે શ્રાવિકાનો નવો ઉપાશ્રય છે. બજારમાં આરસ તથા સાદા પથ્થરનું બનેલું શ્રી સંભવનાથ - શાંતિનાથનું સંયુક્ત શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલયની પાછળ શ્રી મુક્તિચંદ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા છે.
જિનાલયનું શિલાસ્થાપન સં. ૨૦૨૧ પોષ વદ ૧૦ તા. ૨૬-૧-૧૯૬૫ના રોજ થયેલ છે. શ્રી રત્નપ્રભાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી અને શ્રી મુક્તિચંદ્રસૂરિજીની નિશ્રામાં સં. ૨૦૩૬માં પોષ વદ છઠના રોજ પ્રતિષ્ઠા થયેલ છે.
| જિનાલયના કંપાઉંડમાં શ્રી માણિભદ્રવીરની દેરી છે. તેની પ્રતિષ્ઠા સં. ૨૦૩૭ પોષ વદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org