________________
૨૭૨
સુરતનાં જિનાલયો ગામ - ખાપરીયા, તાલુકો - ગણદેવી
૨૭. શ્રી શાંતિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૨૨) નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાથી ૮ કિ.મી.ના અંતરે ખાપરીયા ગામ આવેલું છે. નજીકમાં બીલીમોરા રેલવે સ્ટેશન છે. હાઈવેથી ૧ કિ. મી. અંદર આવેલ આ ગામમાં હાલ ત્રણ જૈન કુટુંબો છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ત્રણ વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે.
અહીં શ્રી મોતીચંદ મગનલાલ શાહ પરિવારનું શ્રી શાંતિનાથનું ઘરદેરાસર આવેલું છે. પ્રતિષ્ઠા સં૨૦૨૨માં વૈશાખ સુદ દશમને દિને ડહેલાવાળા શ્રી ચંદ્રોદયવિજયજી મ. સા.ની નિશ્રામાં શ્રી મોતીચંદ મગનલાલ શાહ દ્વારા થયેલ છે. ૩” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની એક ધાતુપ્રતિમા છે.
ગામ - ગણદેવા, તાલુકો - ગણદેવી
• ૨૮. શ્રી જીરાવલા પાર્શ્વનાથ (સં. ૨૦૨૧) ગણદેવી તાલુકાથી ૧૦ કિ. મી.ના અંતરે આવેલા ગણદેવા ગામે હાલ ૭ જૈન કુટુંબો વસે છે. અહીં સુભાષ મહોલ્લામાં શ્રી જીરાવલા પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. ઉપર જિનાલય તથા નીચે ઉપાશ્રય છે.
પૂર્વે ઘરદેરાસર હતું. પ્રતિષ્ઠા સં૨૦૨૧માં માગશર સુદ બીજને દિને આ. શ્રી રામચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં થયેલ છે. ' ૯” ઊંચી મૂળનાયક શ્રી જીરાવલા પાર્શ્વનાથની એક ધાતુપ્રતિમા છે. વહીવટ શ્રી જૈન છે. મૂ. સંઘ - ગણદેવાના ટ્રસ્ટીઓ – શ્રી અમૃતભાઈ ડાહ્યાભાઈ શાહ તથા શ્રી રમેશભાઈ ઈશ્વરલાલ શાહ હસ્તક છે.
નોંધ : આ. શ્રી પ્રબોધચંદ્રસૂરિના ઉપદેશથી હાલ ઉપર શિખરબંધી જિનાલય અને નીચે ઉપાશ્રયનું બાંધકામનું કામ ચાલી રહ્યું છે.
ગામ - ટાંકલ, તાલુકો - ચીખલી
૨૯. શ્રી નેમિનાથ (સં. ૧૯૮૩) ચીખલીથી ૧૮ કિ. મી. નેશનલ હાઈવે નં. ૮થી પૂર્વમાં તથા આલીપોરથી ૧૦ કિ. મી.ના અંતરે ટાંકલ ગામ આવેલું છે. ગામમાં ૧૨ જૈન કુટુંબો વસે છે. વાણિયાવાડમાં આરસનું બનેલું શ્રી નમિનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલયની બાજુમાં ઉપાશ્રય છે. પાઠશાળા ચાલે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org