________________
સુરતનાં જિનાલયો
૨૬૯
ગામ - ગણદેવી, તાલુકો - ગણદેવી
૨૩. શ્રી સુપાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૦) ગણદેવીમાં ધનોરી નાકા પાસે, શાંતિનિકેતન સોસાયટીમાં બંગલા નં. રમાં શ્રી લક્ષ્મીચંદ પાનાચંદ શાહ પરિવારનું શ્રી સુપાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૦માં આ શ્રી લલિતશેખરસૂરિની નિશ્રામાં લક્ષ્મીચંદ પાનાચંદ શાહ પરિવાર દ્વારા થયેલ છે. ૭” ઊંચી મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથની એક ધાતુપ્રતિમા છે.
ગામ - બીલીમોરા, તાલુકો - ગણદેવી
૨૪. શ્રી શાંતિનાથ (સં. ૧૮૯૯). નવસારીના ગણદેવી તાલુકાથી ૬ કિ. મી.ના અંતરે બીલીમોરા ગામ આવેલું છે. રેલવે સ્ટેશન છે. પૂર્વે બબ્બરકોટથી પ્રચલિત આ ગામમાં હાલ ૭૫ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ૫ વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે.
બીલીમોરામાં નવાપુરી સ્ટ્રીટમાં આરસ તથા સાદા પથ્થરનું બનેલું શ્રી શાંતિનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. આ વિસ્તારમાં જ મણીબહેન નાનચંદ ચેલાજી જૈન ઉપાશ્રય તથા સોબાચંદ હીરાચંદ - પુષ્પાબહેન વસંતલાલ આરાધનાભવન – શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે. અહીં જ શેઠ મોતીચંદ અમરચંદ જૈન પાઠશાળા છે જેમાં ૫૦ બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે. આયંબિલશાળા છે.
પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૧૦માં ફાગણ સુદ ૭ને દિને શ્રી દક્ષવિજયજી મસા.ની નિશ્રામાં શાહ કેસરીચંદ ભાણાભાઈ એન્ડ સન્સ દ્વારા થયેલ છે. પુનઃ પ્રતિષ્ઠા સમયે શ્રી દક્ષવિજયજી મ. સાને પંન્યાસ પદવી મળી હતી. જિનાલયમાં એક શિલાલેખ છે જે નીચે મુજબ છે :
શ્રી શાંતિનાથ ભગવાનના જિનાલયની પ્રતિષ્ઠા વીર સંવત ૨૩૬૯ વિક્રમ સંવત ૧૮૯૯ના ફાગણ સુદ ૭ બુધવાર તા. ૮-૩-૧૮૪૩ના દિવસે થઈ હતી. આ જિનાલયનો જીર્ણોદ્ધાર બીલીમોરા શાંતિનાથ ભગવાન જૈન દેરાસર પેઢી તરફથી (શાંતપ્રાસાદ) કરાવી મૂળનાયકજી શ્રી શાંતિનાથ પ્રભુજી આદિ તમામ જિનબિંબો વગેરેની પ્રતિષ્ઠા વીર સંવત ૨૪૮૦ વિક્રમ સંવત ૨૦૧૦ના ફાગણ સુદ ૭ ગુરુવાર તા. ૧૧-૩-૧૯૫૪ના દિવસે ૧૧ કલાક ૧૫ મિનિટે કરવામાં આવી હતી.'
માણિભદ્રવીરની દેરી છે. અન્ય એક દેરીમાં શ્રી સાગરાનંદસૂરિ મ. સા.ના શિષ્ય પં. શ્રી વિજયસાગરજીગણિની પાદુકા છે. તેના પર નીચે મુજબ લેખ છે :
‘તપગચ્છાધિરાજ આગમોદ્ધારક આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પંશ્રી વિજયસાગરજી ગણિઃ પાદુકા સંવત ૧૯૯૮ વૈશાખ સુદ ૬ ગુરુવારે શ્રીમદ્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org