SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ સુરતનાં જિનાલયો ગામ - નવસારી, તાલુકો - નવસારી ૮. શ્રી મુનિસુવ્રતસ્વામી (ઘર દેરાસર) (સં. ૨૦૩૦) નવસારીમાં કબીલપોર રોડ પર કલ્પના સોસાયટીમાં ૧૩ નંબરના મકાનમાં શ્રી બાલુભાઈ પાનાચંદ શાહ પરિવારનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું ઘરદેરાસર આવેલું છે. પ્રતિષ્ઠા સં૨૦૩૦ વૈશાખ સુદ બારશના દિને શ્રી પુણ્યરક્ષિતવિજયજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે. જીર્ણોદ્ધાર થયેલો છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની એક આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. સ્થાનિક માહિતી પ્રમાણે પૂર્વે મૂળનાયક તરીકે પાર્શ્વનાથની ધાતુપ્રતિમા હતી. પછીથી હસ્તગિરિથી મુનિસુવ્રતસ્વામીની આરસપ્રતિમા લાવી અત્રે બિરાજમાન કરવામાં આવી છે. વહીવટ શ્રી બાલુભાઈ પાનાચંદ શાહ તથા શ્રી પ્રવીણભાઈ નાથુભાઈ શાહ હસ્તક છે. ગામ - નવસારી, તાલુકો - નવસારી ૯. શ્રી વાસુપૂજ્ય સ્વામી (સં. ૨૦૩૨) • નવસારીમાં ઝવેરી સડક પર મહાવીરનગર સોસાયટીમાં આરસનું કમલાકારનું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. પ્રતિષ્ઠા સં૨૦૩૨માં મહા સુદ છઠને દિને આ. શ્રી સુબોધસાગરસૂરિની નિશ્રામાં શ્રી મહાવીરનગર જૈન શ્વે, મૂક સંઘ દ્વારા થયેલ છે. શત્રુંજય, ગિરનાર, આબુ, અચલગઢ, સમેતશિખર, અષ્ટાપદ, ચંપાપુરી, પાવાપુરી, તળાજા, તારંગા, કેસરિયાજી, નાકોડા, રાજગૃહી, ક્ષત્રિયકુંડ, કુલપાકજી, જેસલમેર, અંતરીક્ષ, શંખેશ્વર, હસ્તિનાપુર, ભદ્રેશ્વર, રાણકપુર તથા બાબુનું દેરાસરના ચિત્રકામયુક્ત પટ છે. ઉપરાંત ૧૦૮ પાર્શ્વનાથ તથા સોળ વિદ્યાદેવીનું ચિત્રકામ છે. નાકોડા ભૈરવ, માણિભદ્રવીર, પદ્માવતીદેવી તથા ચક્રેશ્વરીદેવીની આરસમૂર્તિઓ છે. જિનાલયની બહાર ઘંટાકર્ણવીરની દેરી છે. ઉપરના માળે ૩૧” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા પર સં. ૨૦૩રનો લેખ છે. જમણી બાજુ મુનિસુવ્રતસ્વામી તથા ડાબી બાજુ મહાવીરસ્વામી અને શંખેશ્વર પાર્શ્વનાથની આરસપ્રતિમા સહિત કુલ ચાર આરસપ્રતિમા તથા બાર ધાતુપ્રતિમા છે. ભોંયતળિયે ૩૧” ઊંચી મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની એક આરસપ્રતિમા છે. જિનાલયમાં કુલ પાંચ આરસપ્રતિમા છે. મહા સુદ છઠની વર્ષગાંઠને દિને જમણવાર થાય છે તથા હેમચંદ કરસનદાસ જોગાણી પરિવાર દ્વારા ધજા ચડે છે. વહીવટ શ્રી મહાવીરનગર જૈન શ્વેમૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી કાંતિલાલ વીરચંદ શાહ, શ્રી અશોકભાઈ રાજમલ મહેતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy