SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ સુરતનાં જિનાલયો મહાવીરસ્વામીના ૨૭ ભવનું ચિત્રકામ છે. ગૌતમસ્વામી, ગંધર્વયક્ષ તથા બલાદેવીની આરસમૂર્તિઓ છે. શ્રી હેતવિજયજી મ. સાની આરસની ગુરુમૂર્તિ છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી કુંથુનાથની ડાબી બાજુ વાસુપૂજ્યસ્વામી તથા જમણી બાજુ નમિનાથની આરસપ્રતિમા મળીને કુલ ત્રણ આરસપ્રતિમા તથા છ ધાતુપ્રતિમા છે. મૂળનાયક પ્રતિમાના પરિકર પર સં. ૨૦૦૮નો લેખ છે. ઉપર શિખરમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથની ૨૫' ઊંચી આરસપ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. ડાબી બાજુ આદેશ્વર તથા જમણી બાજુ શાંતિનાથ તથા આગળના ભાગમાં મહાવીરસ્વામીની આરસપ્રતિમા મળીને – કુલ ચાર આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નવસારીથી ૫ માઈલ દૂર સીસોદરા ગામમાં દમણ ફળિયામાં શ્રી કુંથુનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ છ આરસપ્રતિમા તથા ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૯૩માં શ્રી સંઘે જિનાલય બંધાવ્યું હતું. વહીવટ શ્રી ગોવિંદજી અમરાજી હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી. ગામમાં ૧૫૦ જૈન કુટુંબો વસતાં હતાં. એક ઉપાશ્રય તથા એક પુસ્તક ભંડાર હતો. આજે જિનાલયમાં કુલ સાત આરસપ્રતિમા તથા નવ ધાતુપ્રતિમા છે. મહા સુદ છઠની વર્ષગાંઠના દિને જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. શત્રુંજયનો કાપડનો પટ દેવ દિવાળીને દિને દર્શનાર્થે મુકાય છે અને ભાથું અપાય છે. હાલ વહીવટ શ્રી કુંથુનાથ ભગવાન જૈન દેરાસર તથા ઉપાશ્રય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી નવીનભાઈ નાથુભાઈ શાહ, શ્રી નરેશભાઈ રામચંદભાઈ શાહ તથા શ્રી શશીકાન્તભાઈ છોટાલાલ શાહ હસ્તક છે. સં. ૨૦૧૦માં જણાવ્યા મુજબ આ જિનાલયનો સમય સં. ૧૯૯૩નો છે. ગામ ગણેશ સીસોદરા, તાલુકો - નવસારી ૬. શ્રી પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૭૪) - ગણેશ સીસોદરા ગામમાં દરજી ફળિયામાં શ્રી ખૂમચંદ ગુલાબચંદ શાહ પરિવારનું ઘરદેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ છે. Jain Education International પ' ઊંચી મૂળનાયક શ્રી પાર્શ્વનાથની એક માત્ર ધાતુપ્રતિમા પર સં. ૧૭૦૫નો લેખ છે. પ્રતિમા આરસના ગોખમાં બિરાજે છે. ગોખની રચના સં. ૨૦૫૦માં થયેલ છે. ઐતિહાસિક સંદર્ભ સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નવસારીથી ૫ માઈલ દૂર સીસોદરા ગામમાં શેઠ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy