________________
૨૪૬
સુરતનાં જિનાલયો
ગામ - કોસંબા, તાલુકો - માંગરોલ
૪૬. શ્રી મુનિસુવ્રતસ્વામી (સં. ૨૦૪૨) માંગરોલ તાલુકાથી ર૧ કિ. મી.ના અંતરે આવેલ કોસંબા ગામમાં હાલ ૨૮ થી ૩૦ જૈન કુટુંબો વસે છે. કોઠી ગ્રાઉન્ડ શૈલેષ સેલ્સની પાછળ એક ધર્મશાળા છે. રેલવે સ્ટેશન નજીક મેઇન બજારમાં આરસનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. ઉપરના માળે જિનાલય અને નીચે ઉપાશ્રય છે.
કંપાઉંડમાં બે રૂમ છે. દાદર ચડી આગળ જતાં આજુબાજુ અન્ય બે દાદર છે. અહીં આગળના ભાગમાં બીજો – બે રૂમ વાળો ઉપાશ્રય છે. બીજા દાદરની એક બાજુ જિનાલય છે.
જિનાલય નાનું છે. કોસંબાના વતની શાઇ અંબાલાલ હરજીવનદાસે આ જગ્યામાં દેરાસર-ઉપાશ્રય બનાવી સંઘને અર્પણ કરેલ. સં. ૨૦૪૨માં ફાગણ વદ ૩ના રોજ આ શ્રી અશોકચંદ્રસૂરિજીની નિશ્રામાં સોહનલાલ થાનમલ શાહ પરિવાર દ્વારા પ્રતિષ્ઠા કરેલ છે.
યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિ છે. દીવાલો પર શંખેશ્વર પાર્શ્વનાથ જિનપટ, શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, અષ્ટાપદ અને સિદ્ધચક્રના ચિત્રકામયુક્ત પટ છે.
ગર્ભદ્વાર એક છે. ૧૭” ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા સહિત કુલ પાંચ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે.
ફાગણ વદ ત્રીજની વર્ષગાંઠના દિવસે શ્રી અસીરભાઈ ચુનીલાલ શાહ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી કોસંબા જૈન શ્વે. મૂ. પૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી દીપચંદ પૂનમચંદ શાહ, શ્રી સોહનલાલ થાનમલજી અને શ્રી વિપુલભાઈ મોતીચંદ શાહ હસ્તક છે.
ગામ - કોસંબા, તાલુકો - માંગરોલ ૪૭. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ (ઘર દેરાસર) (સં. ૨૦૫૨) કોસંબામાં જયસોમનાથ સોસાયટીમાં બંગલા નં. બી/૨૬માં શ્રી વિપુલભાઈ મોતીચંદ શાહ પરિવારનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે.
૯” ઊંચી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ધાતુપ્રતિમાની અંજનશલાકા શ્રી યશોવર્મસૂરિની નિશ્રામાં અંકલેશ્વરમાં થયેલ છે. પ્રતિષ્ઠા સં. ૨૦૫ર ફાગણ વદ ૪ને શનિવારે તા. ૯-૩-૯૬ના રોજ સવારે ૯:૪૫ મિનિટે થયેલ છે.
ગામ- ઉકાઈ, તાલુકો - સોનગઢ
૪૮. વાસુપૂજ્ય સ્વામી (ઘરદેરાસર) ઉકાઈ ગામમાં વાસુપૂજ્ય સ્વામીનું ઘરદેરાસર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org