________________
સુરતનાં જિનાલયો
૨૩૩ ત્રણ જોડ છે. તે પૈકી એક પગલાંની જોડ પર “સં. ૧૯૦૭.. મહા સુદ ૧૦.....” તથા અન્ય એક પગલાં પર “સં. ૧૯૦૫.... પોષ સુદ ૫ .... શ્રી .....સાગરજી..... શ્રી દત્તવિજય.... હીરબાઈ રૂપજી નિર્મિત......” મુજબનું ત્રુટક લખાણ વાંચી શકાય છે. દેરીની બાજુમાં કૂવો છે.
નીચે ભોંયરામાં ૨૧” ઊંચી શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા તથા ૧૫” ઊંચી શ્રી અરનાથની પ્રતિમા મળીને કુલ બે આરસપ્રતિમા છે.
જિનાલયની પાછળ કેસરસુખડની રૂમ છે. તેની બાજુમાં એક દેરીમાં શ્રી પાર્શ્વનાથની ૯” ઊંચાઈવાળી પ્રતિમા બિરાજે છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં માંડવી તાલુકામાં સાયણ સ્ટેશનથી ૧૫ માઈલના અંતરે આવેલ બહુધાન ગામમાં મારવાડી બજારમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. સં. ૧૮૮૩માં જિનાલય બંધાયું હતું. કુલ છ આરસપ્રતિમા, દસ ધાતુપ્રતિમા તથા આરસનાં પગલાંની એક જોડ હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કીમથી ૨૨ માઈલ દૂર આવેલ બહુધાન ગામમાં મારવાડી બજારમાં મુનિસુવ્રતસ્વામીના શિખરબંધી જિનાલયમાં કુલ છ આરસપ્રતિમા, બાર ધાતુપ્રતિમા તથા સાત ચોવીસી રજતપટ હતા. જિનાલય સં. ૧૯૦૦ લગભગમાં બંધાયાની નોંધ હતી. વહીવટ શેઠ વીરચંદ ગુલાબચંદ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સાધારણ હતી. ભોંયરામાં પણ પ્રતિમા હતી. તે સમયે ગામમાં ૩૦૦ જૈન તથા એક ઉપાશ્રય હતા.
સં. ૨૦૧૩માં જૈન ધર્મનાં યાત્રાસ્થળોમાં આ ગામ તથા જિનાલય વિશે નીચે મુજબ નોંધ છે :
: ‘વેસ્ટર્ન રેલવેના કીમ સ્ટેશનથી અહીં આવવા સારું બસ સર્વિસ છે. શ્રી મુનિસુવ્રતસ્વામીનું મનોહર દેવાલય છે. સામે ઉપાશ્રય છે. પુસ્તકાલયને પાઠશાળા ચાલુ છે. નજીકમાં તાપી નદીનું સુંદર વહેણ છે.'
ટૂંકમાં આ જિનાલયનો સમય સં. ૧૮૮૩નો છે.
ગામ - વ્યારા, તાલુકો - વ્યારા
૩૩. શ્રી અજિતનાથ (સં. ૧૯૬૩ પૂર્વે) સુરત શહેરથી ૬૫ કિ. મી.ના અંતરે આવેલા આ ગામમાં હાલ ૧૫૦ જૈન કુટુંબો વસે છે. અહીં શ્રી અજિતનાથનું જિનાલય, શ્રી મુનિસુવ્રતસ્વામી ગૃહજિનાલય તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ગૃહજિનાલય – એમ એક જિનાલય અને બે ઘરદેરાસર મળીને કુલ ત્રણ જિનાલયો છે. કાનપુરા વિસ્તારમાં બે ઉપાશ્રયો તથા જૈનવાડી અને સુરતીબજાર વિસ્તારમાં એક ઉપાશ્રય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org