SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ સુરતનાં જિનાલયો ધાતુપ્રતિમા તથા એક ચોવીસી રજતપટનો ઉલ્લેખ મળે છે. તે સમયે જિનાલય બંધાયા સંવત ૧૯૭૧ તથા વહીવટદાર તરીકે શેઠ રમણલાલ દેવચંદનો ઉલ્લેખ છે. જિનાલયની સ્થિતિ સાધારણ દર્શાવી હતી. ગામમાં ૧૦૦ જૈનો તથા એક ઉપાશ્રય હતા. હાલ જિનાલયની વર્ષગાંઠ વૈશાખ સુદ તેરશના દિને ઊજવવામાં આવે છે. વહીવટ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ-ઓલપાડના ટ્રસ્ટીઓ – શ્રી બાબુલાલ જમનાજી રોવાડાવાલા, શ્રી પ્રફુલચંદ્ર નગીનચંદ્ર શાહ, શ્રી ભીખુભાઈ રાયચંદ શાહ, શ્રી પ્રકાશકુમાર હિંમતમલ શાહ અને શ્રીમતી સુશીલાબહેન રમણલાલ શાહ હસ્તક છે. સં. ૧૮૪૪માં જિનાલય બંધાયું હોવાનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં થયેલ છે. ઉપરાંત સં. ૧૯૬૩માં આ જિનાલયની સ્થિતિ જીર્ણ હતી. મૂળનાયકની પ્રતિમા પર સં. ૧૮૪૪નો લેખ છે. અમારી માન્યતા પ્રમાણે જિનાલય સં. ૧૮૪૪ની આસપાસનું છે. ગામ - કીમ, તાલુકો - ઓલપાડ ૨. શ્રી મુનિસુવ્રતસ્વામી (સં. ૨૦૨૫) ઓલપાડ તાલુકા મથકથી આશરે ૨૪ કિ. મી.ના અંતરે કીમ ગામ આવેલું છે. અહીં રેલવે સ્ટેશન છે. હાલ ગામમાં જ રહેતાં હોય તેવાં જૈન કુટુંબોની સંખ્યા ૨૮ છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ગામની ત્રણ વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે. અહીં મેઇન રોડ પર આરસ તથા સાદા પથ્થરનું બનેલું શ્રી મુનિસુવ્રતસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. પશ્ચિમાભિમુખ જિનાલય નાનું અને સુંદર છે. જાળીવાળા પ્રવેશદ્વારની બંને બાજુ હાથી તથા કમાન પર શ્રી સરસ્વતીદેવીનું શિલ્પ છે. તેના પરનું રંગકામ જીર્ણ છે. હાલ આ પ્રવેશદ્વાર બંધ છે. બીજો જાળીવાળો પ્રવેશદ્વાર જિનાલયની સામે છે. અહીંથી પ્રવેશતાં આપણી ડાબી બાજુ શ્રાવક-શ્રાવિકાના – એમ બે ઉપાશ્રય છે. એક ઉપાશ્રયના બીજા માળે પાડી છે. જ્ઞાનભંડારમાં આશરે ૨૦૦ પ્રિન્ટેડ પુસ્તકો છે. જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૨૫માં તા. ૨૨-૫-૬૯ના જેઠ સુદ છઠના દિને આશ્રી કસ્તુરસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે. ત્રણ ચોકીવાળી શૃંગારચોકીમાં ડાબી બાજુની દીવાલે શિલાલેખ છે. રંગમંડપમાં આજુબાજુ અન્ય બે દ્વાર છે. સ્થંભો પર વાજિંત્ર સહિતની નારી શિલ્પાકૃતિઓ છે. દીવાલે શત્રુંજય, ગિરનાર, સમેતશિખર અને નવપદજીના આરસમાં કોતરેલ તથા ચિત્રિત કરેલ પટ છે. સામ-સામે બે ગોખ પૈકી એક ગોખમાં વરુણયક્ષ અને બીજા ગોખમાં નરુદત્તાયક્ષિણીની આરસમૂર્તિ છે. એક ગર્ભદ્વાર છે. મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા ૧૭” ઊંચી છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy