________________
ગામ - ઓલપાડ, તાલુકો - ઓલપાડ
૧. શ્રી શાંતિનાથ (સં. ૧૮૪૪ આસપાસ) સુરત શહેરથી ૧૮ કિ. મી.ના અંતરે અને સાયણ રેલવે સ્ટેશનથી ૧૩ કિ. મીના અંતરે ઓલપાડ ગામ આવેલ છે. ગામમાં કરસનપરામાં શ્રી શાંતિનાથનું આશરે ૧૧૫ વર્ષ પ્રાચીન શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલયની સ્થિતિ જીર્ણ થઈ ગયેલ હોવાથી હાલ જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે.
ગામમાં આશરે ૨૦ જૈન કુટુંબો રહે છે. શ્રાવક-શ્રાવિકાનો કોમન ઉપાશ્રય છે અને તેમાં જ પાઠશાળા ચાલે છે. જ્ઞાનભંડારમાં આશરે પચાસેક પુસ્તકો છે તથા એક ધર્મશાળા છે.
મૂળનાયક શ્રી શાંતિનાથની ૩૧” ઊંચી નયનરમ્ય આરસપ્રતિમા પર સં. ૧૮૪૪નો લેખ છે. કુલ નવ આરસપ્રતિમા પૈકી એક શ્યામ આરસપ્રતિમા છે. તથા ત્રણ ધાતુપ્રતિમા છે. પદ્માવતીદેવી તથા ચક્રેશ્વરીદેવીની આરસમૂર્તિઓ છે. જમણા ગભારે શીતલનાથ તથા ડાબા ગભારે આદેશ્વર છે. ગૌતમસ્વામીની ધાતુમૂર્તિ છે. મૂળનાયક શાંતિનાથની આજુબાજુ બિરાજમાન શ્રી અજિતનાથ તથા શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા પર પણ સં. ૧૮૪૪નો લેખ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સાયણ સ્ટેશનથી ૯ માઈલ દૂર તાલુકા ઓરપાડના ગામ ઓરપાડના કરસનપરામાં શિખર વિનાનું શાંતિનાથનું એક જિનાલય વિદ્યમાન હતું. તે સમયે આઠ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા હતી. જિનાલયના મકાનની સ્થિતિ જીર્ણ દર્શાવી હતી. તથા બંધાયા સંવતમાં સં. ૧૮૪૪નો ઉલ્લેખ હતો.
શ્રી સુરત ધરમચંદ ઉદયચંદ જૈન જીર્ણોદ્ધાર ફંડ દ્વારા ઓરપાડના જિનાલયમાં રકમ આપ્યાની નોંધ સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં પૃ. ૪૯ ઉપર છે. એટલે કે તે સમયે આ જિનાલય વિદ્યમાન હતું.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નંદનબારથી ૯ માઈલ દૂર ઓલપાડ ગામના કરસનપરામાં આવેલ શાંતિનાથના આ શિખરબંધી જિનાલયમાં નવ આરસપ્રતિમા, બે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org