________________
૧૯૭
સુરતનાં જિનાલયો આ. શ્રી કુમુદચંદ્રસૂરિ તથા આ. શ્રી પ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં શર્મિષ્ઠાબહેન વિનોદભાઈ ઝવેરી પરિવાર દ્વારા કરવામાં આવી હતી.
નાના ગભારામાં ૧૫” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામીની સપરિકર પ્રાચીન પ્રતિમા છે. મૂર્તિલેખ નથી. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે. ડાબી બાજુ શ્રી કુંથુનાથ તથા જમણી બાજુ શ્રી મુનિસુવ્રતસ્વામીની આરસપ્રતિમા પર સં. ૨૦૧૩નો લેખ છે.
ઉધના, ઉદ્યોગનગર ૧૩૧. પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૩૮) ઉધના, ઉદ્યોગનગર જવાહર રોડ નં. ૩ ઉપર જી. ઈ. બીની બાજુમાં શ્રી કાંતિભાઈ ચુનીલાલ દોશી પરિવારનું શ્રી પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે.
૧૧” ઊંચી મૂળનાયક શ્રી પાર્શ્વનાથની ધાતુપ્રતિમા સહિત કુલ બે ધાતુપ્રતિમા છે. પ્રતિષ્ઠા સં૨૦૩૮માં આ૦ શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં થયેલ છે. વહીવટ શ્રી નવીનચંદ્ર જશવંતલાલ દોશી પરિવાર દ્વારા થાય છે.
ભટાર રોડ
૧૩૨. વાસુપૂજ્ય સ્વામી ભટાર રોડ ઉપર એલ. બી. ટોકીઝ સામે, આકાશ દર્શન ફ્લેટની બાજુમાં શ્રી વાસુપૂજયસ્વામીનું નાનું છાપરાબંધી જિનાલય આવેલું છે.
નાકોડા ભૈરવજી તથા માણિભદ્રવીરની મૂર્તિઓ છે. તેના પર સં. ૨૦૪૩માં મહા સુદ ૧૩ને દિને પાંચડા(બનાસકાંઠા)ના બેચરદાસ મેઘજીની પુત્રી કાંતાબેન, તારાબેન દ્વારા પ્રતિષ્ઠા થયાનો લેખ છે.
- ૨૫” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામી ઉપર “.... પ્રબોધચંદ્રસૂરિભિઃ .... મહા સુદ ૧૩ .....' વંચાય છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા સાત ધાતુપ્રતિમા છે. મૂળનાયકની આજુબાજુની બન્ને આરસપ્રતિમા પરના લેખમાં પાંચડા(બનાસકાંઠા)નો ઉલ્લેખ છે. આ પ્રતિમાઓ પાંચડા(બનાસકાંઠા)થી અંજનશલાકા કરી અત્રે પધરાવ્યા હોઈ શકે. પ્રતિષ્ઠા બાકી હોવાથી પ્રતિમા પરોણા રાખેલ છે. બે વર્ષ બાદ શિખરબંધી જિનાલય બનાવવાની યોજના છે.
(
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org