SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૧૬૩ અદ્ભુત છે. સ્થંભો તથા ઘુમ્મટમાં વાજિંત્ર સહિત પૂતળીઓનાં શિલ્પો છે. પ્રવેશદ્વાર પાસે આજુબાજુના ગોખમાં શેઠ શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી તથા શેઠાણી મોતીકુંવરબાની આરસમૂર્તિઓ છે. જમણી બાજુ ગોખમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની આરસપ્રતિમા પરોણા છે. ફરસ પર આરસમાં કપચીકામ, છીપકામવાળી કોતરણી સુંદર છે. ત્રણ ગર્ભદ્વાર છે. ૩૭” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા મનોહર છે. ડાબા ગભારે શ્રી અજિતનાથ તથા જમણા ગભારે શ્રી આદેશ્વર છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા બાર ધાતુપ્રતિમા છે. પ્રતિમા કલાત્મક કોતરણીવાળી છત્રીમાં બિરાજે છે. મૂળનાયકની પાછળની દીવાલે આરસમાં સોનેરી રંગની પૂરવણી કરેલ છે. - ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં લાઈન્સ વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે થયો છે. ઝવેરી ફૂલચંદ કલ્યાણચંદે જિનાલય બંધાવ્યું હોવાની નોંધ છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા બાર ધાતુપ્રતિમા હતી. આજે પણ પ્રતિમાસંખ્યા યથાવત છે. સં. ૧૯૬૩માં જિનાલયની સ્થિતિ સારી હતી તથા દેરાસર જોવાલાયક છે તેવી વિશેષ નોંધ છે. સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં તથા સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ છે. - સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં તથા સં૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં પણ આ જિનાલય શેઠ ફૂલચંદ કલ્યાણચંદે બંધાવ્યું હોવાની નોંધ છે. અહીં અભુત અકીકકામ હોવાની તથા જિનાલય ૨૦મી સદીના કળાના ઉત્તમ નમૂનારૂપ હોવાની વિશેષ નોંધ છે. ઉપરાંત જિનાલયમાં સં. ૧૬૮રના લેખવાળી બે આરસપ્રતિમા હોવાનો ઉલ્લેખ છે. આ પ્રતિમા અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી શાંતિદાસની માતા અને પત્નીએ ક્રમથી તૈયાર કરાવી હતી અને આ શ્રી વિજયદેવસૂરિના સમયે મહો. વિવેકહર્ષગણિના શિષ્ય મુક્તિસાગરગણિની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ હતી. આ પ્રતિમા પરના લેખ નીચે મુજબ છે : (૧) સંવત ૧૬૮૨ વર્ષે જેઠ વદિ ૯ ગુરુવારે અહિમદાવાદ નગર વાસ્તવ્ય શ્રી ઓશવાલજ્ઞાતીય સાવ અસહરૂકરણ ભાર્યા રાબાઈ કુંઅરી નામન્યા શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રતસ્વામી બિંબ કરિત શા શાંતિદાસ કારિત પ્રતિષ્ઠાવિત પ્રતિષ્ઠિત શ્રી તપાગચ્છ ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વર પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિ પાટકે મહોપાધ્યાય શ્રી મુક્તિસાગરગણિભિઃ (૨) સંવત ૧૬૮૨ વર્ષે જયેષ્ઠ વદિ ૯ ગુરૌ અહિમદાવાદ નગરે ઓશવાલજ્ઞાતીય સા અસહરૂકરણ ભાર્યા શ્રી આદીનાથ બિંબ પ્રતિષ્ઠાપિત ચ તપાગચ્છ મહોપાધ્યાય શ્રી મુક્તિસાગર. ઉપરાંત જિનાલયનો લેખ હોવાની નોંધ છે જે નીચે મુજબ છે : નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય: The Jain Shwetamber Temple Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy