________________
૧૬૦
સુરતનાં જિનાલયો હાલ જિનાલયનો વહીવટ શ્રી લાડશ્રીમાળી જૈન જ્ઞાતિ પંચ, હરિપુરા મેઇન રોડના ટ્રસ્ટીઓ – શ્રી મહેન્દ્રભાઈ હીરાલાલ કાપડિયા, શ્રી દેવેન્દ્રભાઈ ગમનલાલ શાહ તથા શ્રી ભાવેશભાઈ ધનસુખલાલ ટોપીવાલા હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં૧૯૬૦માં થઈ છે. જિનાલયનું બાંધકામ સંત ૧૯૬૨માં પૂર્ણ થયું હોવાનો સંભવ છે.
પારસ સોસાયટી, કતારગામ
૭૫. મહાવીર સ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૧૨) કતારગામમાં પારસ સોસાયટીમાં બીલ નંબરના ફલેટમાં ત્રીજે માળ શ્રી મહાવીરસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
આરસના બનેલા આ ઘરદેરાસરમાં ૨૧” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે. ગૌતમસ્વામીની એક ધાતુમૂર્તિ છે. મૂળનાયક સપરિવાર પાલીતાણા-કદંબગિરિથી અહીં લાવેલ છે. પ્રતિષ્ઠા સં. ૨૦૫રને ચૈત્ર સુદ ૩ તા. ૧-૪-૯૬ને દિને આ. શ્રી ૐકારસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં શ્રી ચીમનલાલ ખૂબચંદ પરિવાર દ્વારા કરવામાં આવી છે.
હાલ વહીવટ શ્રી વર્ધમાન હૈ. મૂ. પૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી મુક્તિલાલ શાંતિલાલ મહેતા, શ્રી શશીકાન્તભાઈ પ્રભુલાલ મોરવડીયા તથા શ્રી વાડીલાલ હેમજી દોશી હસ્તક છે.
ખોડિયાર કૃપા સોસાયટી, કતારગામ
૭૬. શીતલનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૫) કતારગામમાં આસોપાલવ એપાર્ટમેન્ટ સામે ખોડિયાર કૃપા સોસાયટીમાં ૧૦૮, પુંડરીક બંગલામાં શ્રી શીતલનાથનું ઘરદેરાસર આવેલું છે. આ ઘરદેરાસર શ્રી ધરણેન્દ્રભાઈ શીવલાલ શાહ પરિવારનું છે.
કોતરણીયુક્ત તોરણવાળા ગોખમાં ૯” ઊંચી શ્રી શીતલનાથની ધાતુપ્રતિમા બિરાજે છે. તેની પાછળની દીવાલે શત્રુંજય, ગિરિરાજનું આરસનું વિશિષ્ટ પરિકર છે. સં. ૨૦૫૫ના મહા સુદ ૧૧ તા. ર૭-૧-૯૯ને બુધવારના દિને આ. શ્રી ચંદ્રોદયસૂરિ મ. સા., આઇ શ્રી અશોકચંદ્રસૂરિ મ. સા. તથા આ. શ્રી સોમચંદ્રસૂરિની નિશ્રામાં શ્રી ધરણેન્દ્રભાઈ શીવલાલ શાહ પરિવારવાળા (ચાણસ્માવાળા) દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org