________________
સુરતનાં જિનાલયો
ઓળખાય છે.
સં. ૨૦૪૨માં મહા વદ છઠને દિને આ શ્રી પ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં જિનાલયનો જીર્ણોદ્ધાર થયો છે.
જિનાલયમાં નીચેના ભાગમાં દીવાલો પાવાપુરી, ગિરનાર, સમેતશિખર, શત્રુંજય, ભદ્રેશ્વર, નાગેશ્વર પાર્શ્વનાથ, આદેશ્વર ભગવાનના પાંચે કલ્યાણક, બાર ભવ, મરુદેવામાતાને કેવળજ્ઞાન, ભરત બાહુબલી યુદ્ધ, બ્રાહ્મીસુંદરી, ભરત રાજાનું અરીસા ભુવનમાં કેવળજ્ઞાન વિવિધ પટ-પ્રસંગોથી ચિત છે.
૧૫૯
શૃંગારચોકીમાં પ્રવેશવા બન્ને બાજુ પગથિયાં છે. અહીં શ્રી કુમુદચંદ્રસૂરિ મ. સાની આરસની ગુરુમૂર્તિ તથા નાકોડા ભૈરવના ગોખ છે.
રંગમંડપમાં પદ્માવતીદેવી તથા ચક્રેશ્વરીદેવીની આરસમૂર્તિના ગોખ છે. રંગકામ થયેલું છે. ત્રણ ગર્ભદ્વાર છે. ૧૫” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા સહિત કુલ એકવીસ આરસપ્રતિમા તથા અગિયાર ધાતુપ્રતિમા છે. ડાબી-જમણી બાજુ શ્રી મુનિસુવ્રતસ્વામી બિરાજમાન છે. સીમંધરસ્વામી તથા ચંદ્રાનનસ્વામીની પ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં કટારગામમાં ગામ વચ્ચે શ્રી આદેશ્વરના આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે થયેલો છે. સં. ૧૯૬૨માં શા મગનલાલ રાયચંદે જિનાલય બંધાવ્યું હોવાની નોંધ છે. જિનાલયની સ્થિતિ સારી હતી અને કુલ પાંચ આરસપ્રતિમા તથા ત્રીસ ધાતુપ્રતિમા હતી.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૬૦માં શ્રી સિદ્ધિવિજયંજી મહારાજની (પૂ. બાપજી મહારાજની) નિશ્રામાં મગનભાઈ રાયચંદના હસ્તે થઈ હોવાની નોંધ છે. ઉપરાંત વહીવટ શેઠ નાનચંદ કીકાભાઈ હસ્તક હોવાની તથા જિનાલય લાડવા શ્રીમાળીના દેરાસર તરીકે ઓળખાતું હોવાની નોંધ છે.
સં. ૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં પણ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૬૦માં શ્રી સિદ્ધિસૂરિ(પૂ. બાપજી મહારાજ)ની નિશ્રામાં થઈ હોવાની નોંધ છે.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કતારગામ બજારમાં આવેલા આ જિનાલયને શિખરબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા સાત ધાતુપ્રતિમા હોવાની નોંધ છે. પ્રતિષ્ઠા સં. ૧૯૬૦માં મગનલાલ રાયચંદે કરાવી હોવાની તથા વહીવટ ચંદુલાલ નગીનદાસ હસ્તક હોવાની નોંધ છે.
સં ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં પણ આ જિનાલયની પ્રતિષ્ઠા વિશે ઉપર્યુક્ત નોંધ મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org