SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૧૫૧ આજે આ જિનાલયમાં કુલ પચીસ આરસપ્રતિમા છે. વહીવટ શ્રી છાપરીયા શેરી જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી રોહિતકુમાર ફૂલચંદ જરીવાલા, શ્રી જયંતકુમાર ચંપકલાલ ગાંધી તથા શ્રી ભરતકુમાર હીરચંદ ગાંધી હસ્તક છે. જિનાલયનો સમય સં. ૧૯૨૫ આસપાસનો છે. પ્રતિમા પર સં. ૧૬૬૪નો લેખ છે. તે સંદર્ભમાં જિનાલયની પ્રાચીનતા નક્કી કરવા માટે વધુ પુરાવા તથા સંશોધનની જરૂર છે. છાપરીયા શેરી, મહીધરપુરા ૭૦. આદેશ્વર (સં. ૧૯૨૧) મહીધરપુરામાં છાપરીયા શેરીના મુખ્ય રસ્તા પર શ્રી આદેશ્વરનું આરસનું બનેલું સામરણયુક્ત જિનાલય આવેલું છે. પૂ. પરમ પ્રભાવક આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરિ મ. સા.ના શિષ્યરત્ન સ્વ. આ. શ્રી વિજયજિતમૃગાંકસૂરિ મ. સા.ના શિષ્યરત્ન પૂપપ્ર. શ્રી ભદ્રાનંદવિજયગણિ મસા.ની નિશ્રામાં મહોત્સવપૂર્વક સાળવીની શ્રી આદિશ્વર ભગવાનના આ નૂતન જિનાલયમાં વિ. સં. ૨૦૪૦ પોષ વદ ૬ તા. ૨૩-૧-૮૪ના શુભમુહૂર્ત શ્રી પ્રભુજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ' પગથિયાં પાસેની બન્ને બાજુની દીવાલે હાથી પર બિરાજિત શેઠ-શેઠાણીની કૃતિ છે. શૃંગારચોકીમાં કોતરણીવાળા આરસની બેઠક છે. સ્થંભો પર કલાત્મક કોતરણીયુક્ત તોરણો તથા વિવિધ મુદ્રામાં શિલ્પાકૃતિ નજરે પડે છે. છત પર પદ્માવતીદેવી, ચક્રેશ્વરીદેવી તથા સરસ્વતીદેવીની રંગીન કૃતિ કંડારેલી છે. સાદી કોતરણીવાળા ત્રણ પ્રવેશદ્વાર છે. વિશાળ રંગમંડપમાં કોતરણીયુક્ત પાંચ ગોખ છે જે પૈકી બે ગોખમાં ચક્રેશ્વરીદેવી તથા પાર્શ્વ પદ્માવતીદેવીની આરસમૂર્તિ છે. અહીં કુલ આઠ આરસપ્રતિમા છે. ઘુમ્મટ વિશાળ છે. કોતરણીયુક્ત તોરણો તથા વાદ્યાદિ સહિત નારીશિલ્પો છે. અષ્ટાપદ, ગિરનાર, નવપદ, સમેતશિખર, સિદ્ધાચલ, સમવસરણ તથા પાવાપુરી જેવા પટ છે. ત્રણ ગર્ભદ્વાર છે. ૧૫” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પરિકરયુક્ત પ્રતિમા પર “સં. ૧૮૧૫ ....... ગુરૌ ......... સાલવીજાતિય વૃદ્ધશાખામાં પ્રતિષ્ઠિત શ્રી તપાગચ્છે ......” મુજબનો લેખ છે. કુલ બાવીસ આરસપ્રતિમા, ઓગણત્રીસ ધાતુપ્રતિમા અને એક સ્ફટિકપ્રતિમા છે. જમણા ગભારે શ્રી શીતલનાથ તથા ડાબા ગભારે શ્રી શ્રેયાંસનાથ છે. પ્રતિમાની પાછળની દીવાલ પર રજતમાં ચૌદ સ્વપ્નો, ઇન્દ્રો, છત્ર, અશોકવૃક્ષ વગેરેનું સુંદર નકશીકામ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં છાપરીઆ શેરીમાં આવેલ આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. કુલ ચોવીસ આરસપ્રતિમા, એકવીસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy