SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ સુરતનાં જિનાલયો ૧૯૨૨ શેઠ નગીનદાસ જેચંદના વખતમાં તથા ત્રીજી પ્રતિષ્ઠા ૧૯૭૨માં શેઠ અનોપચંદ નગીનદાસના વખતમાં થઈ. ત્રીજી પ્રતિષ્ઠા આચાર્ય શ્રીમદ્ વિજયમોહનસૂરીશ્વરે કરી..... એકંદરે આ દેરાસર નાજુક છતાં રળીયામણું છે. ગોખલા પરનો લેખ : શ્રી સુરત જૈન દસા ઓસવાલ મિત્રમંડળ તરફથી આ ગોખલો કરાવી મુનિ મહારાજ શ્રી નીતિવિજયજીના પગલાં પધરાવવામાં આવ્યા છે. આ દેરાસરમાં નકસીવાળું પિત્તલનું નાનું દેરાસર સુંદર છે.’ આ ઉપરાંત કેટલીક દંતકથા તથા ચમત્કાર વિશેની નોંધ કરવામાં આવી છે જે નીચે મુજબ છે : ૧. કોઈ ચોર ચોરી કરવા આવ્યો. આભૂષણો ચોરી પાછા જતાં સ્થંભિત થઈ ગયો (ચોટી ગયો) સવારે પૂજારીએ જોયો. લોકો ભેગા થયા - આભૂષણો લઈ લીધા અને તેના પગ છૂટા થયા. ૨. અંતરાયવાળા બહેન દેરાસરમાં પ્રવેશ કરતા ભમરાઓ છૂટ્યા, દોડીને પાછા જવું પડ્યું. ૩. સં. ૧૯૮૩ની સાલમાં મોટી આગ વખતે નાસભાગમાં કોઈ દાગીનાનો દાબડો લઈ ગયું પણ ૧૫ દિવસ બાદ પાછો મળી આવ્યો.' સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નાણાવટ, કાણાકોચરાની પોળ વિસ્તારમાં આદેશ્વરના આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે થયો છે. કુલ નવ આરસપ્રતિમા તથા પાંત્રીસ ધાતુપ્રતિમા હતી. વહીવટ પાનાચંદ અનોપચંદ હસ્તક હતો.. સ્થિતિ સારી હતી. સં ૧૮૫૦ લગભગમાં જિનાલય બંધાયું હોવાની નોંધ છે. સં ૨૦૨૩માં ઓવારી કાંઠા વિસ્તારમાં દર્શાવેલ આ જિનાલયમાં મૂળનાયક પ્રતિમા પર ‘સંવત ૧૬....' લેખ હોવાની નોંધ છે. એટલે કે મૂળનાયક પ્રતિમા ૧૭મા સૈકાની હોવાનું માની શકાય. વહીવટ શેઠ મોતીચંદ અનુપચંદ હસ્તક હતો. - આજે જિનાલયનો વહીવટ શ્રી ધનસુખભાઈ મોતીચંદ તોલાટ હસ્તક છે. જૈન તીર્થ સર્વસંગ્રહના આધારે જિનાલયનો સમય સં ૧૮૫૦ લગભગનો માની શકાય. આ અંગે વધુ સંશોધનની જરૂર છે. બેગમપુરા, નવાબવાડી ૬૫. શાંતિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૨) નવાબવાડી બેગમપુરા વિસ્તારમાં નિર્વાણબાબા અખાડા પાસે કાપડિયા એપાર્ટમેન્ટમાં ભોંયતળિયે આરસનું બનેલું શ્રી શાંતિનાથનું નૂતન ઘરદેરાસર આવેલું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy