SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૧૪૩ આજે વહીવટ શ્રી અમરચંદભાઈના પુત્ર શ્રી બાબુભાઈના પરિવાર દ્વારા થાય છે. પ્રતિમા પર સં. ૧૮૧૭નો લેખ છે. દેરાસરનો સમય સં. ૧૯૦૦ આસપાસનો માની શકાય. તેનાથી વધુ પ્રાચીન સમય નક્કી કરવા વધુ સંશોધનની જરૂર છે. દરિયામહેલ, ઓવારી કાંઠા ૬૪. આદેશ્વર (સં. ૧૮૫૦ લગભગ) ઓવારી કાંઠાની સામેના ભાગમાં દરિયામહેલ વિસ્તારમાં ખડકીમાં અંદરના ભાગમાં છેક ખૂણામાં આરસ તથા પથ્થરનું બનેલું શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય આવેલું છે. દશા ઓસવાલ જ્ઞાતિના કુળદેવી શ્રી ઓશિયામાતાની આરસમૂર્તિ અનુપમ છે. તથા ઘંટાકર્ણવીર તથા માણિભદ્રવીરની દેરી છે. તે પૈકી માણિભદ્રવીરની મોટી ધાતુમૂર્તિની પ્રતિષ્ઠા સંદ ૨૦૪૭ના ફાગણ સુદ ત્રીજને રવિવારે આ. શ્રી કલ્યાણસાગરસૂરિની નિશ્રામાં કરવામાં આવેલ છે. એક ગોખમાં શ્રી નીતિવિજયગણિના આરસનાં પગલાંની એક જોડ છે જેના પર સં. ૧૯૬૭ના ભાદરવા સુદ આઠમના રોજ પ્રતિષ્ઠા થયાનો લેખ છે. રંગમંડપમાં પ્રવેશવાના ત્રણ કાષ્ઠના પ્રવેશદ્વાર છે. જમણી બાજુ ગોખમાં ચક્રેશ્વરીદેવીની આરસમૂર્તિ છે. અન્ય ગોખમાં આરસપ્રતિમા તથા ધાતુપ્રતિમા છે. શત્રુંજયનો ચિત્રિત પટ છે. એક ગર્ભદ્વાર છે. ૧૩” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની મનોહર પ્રતિમા પર લેખ નથી. ડાબી બાજુ સંભવનાથ તથા જમણી બાજુ શાંતિનાથ બિરાજે છે. કુલ નવ આરસપ્રતિમા તથા ઓગણત્રીસ ધાતુપ્રતિમા છે. એક નાની દેરીમાં રાયણ પગલાં . તેની પાછળ ચક્રેશ્વરીદેવીની નાની મૂર્તિ છે જેના મસ્તક પર આદેશ્વર છે. આ દેરીની ઉપર રાયણવૃક્ષની કાષ્ઠની કૃતિ બનાવેલી છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તથા પાવાપુરીનો પટ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જેને શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ થયો નથી. સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં સીમંધરસ્વામીના જિનાલયની સાથે આદેશ્વરના એક જિનાલયનો ઉલ્લેખ નાણાવટ, વડાચૌટાના જિનાલયો પછી થયેલો છે. સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ છે. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ કરવામાં આવી છે : “આ દેરાસરની સ્થિતિ સારી છે. મૂળ પ્રતિષ્ઠાની સાલની ખબર નથી. બીજી પ્રતિષ્ઠા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy