________________
૧૪૦
સુરતનાં જિનાલયો
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં જિનાલય બંધાયા સંવત ૧૯૩૯ દર્શાવે છે. સંભવ કે તે સમયે જિનાલયના બાંધકામનું કાર્ય શરૂ થયું હોય અને પ્રતિષ્ઠા સં. ૧૯૪૧માં કરવામાં આવી હોય.
ટૂંકમાં જિનાલયનો સમય સં ૧૯૪૧નો છે. મૂળનાયક શ્રી કલ્યાણ પાર્શ્વનાથની પ્રતિમા પર સં. ૧૯૦૩નો લેખ છે. પુનઃ પ્રતિષ્ઠા સં૰ ૧૯૭૫માં તથા સં. ૨૦૨૩માં થયેલ છે. હાલ જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે.
પંડોળની પોળ, નાણાવટ ૬૨. નમિનાથ (સં. ૧૭૫૫ પૂર્વે)
નાણાવટમાં આવેલ પંડોળની પોળમાં આરસ તથા સાદા પથ્થરનું બનેલું શ્રી નમિનાથનું બે માળનું સામરણયુક્ત જિનાલય છે. ઉપરના માળે મૂળનાયક શ્રી શાંતિનાથ છે.
એક કાષ્ઠનો પ્રવેશદ્વાર છે. તેના સ્થંભો ૫૨ દ્વારપાલ, શિરોભાગમાં ફૂલછાબ અને કળશ લઈ ઊભેલી બે નારીઓની શિલ્પાકૃતિ છે. મધ્યે મગરમુખી તોરણો અને ઉપર ધર્મચક્ર છે. પાસેની દીવાલ પર બે મોટા હાથીઓનું ચિત્રકામ છે.
રંગમંડપમાં પ્રવેશવાનાં ત્રણ દ્વાર છે. નાના રંગમંડપના સ્થંભો પર ચામર વીંઝતા ઇન્દ્રો, પુષ્પો લઈ ઊભેલી દેવકન્યા, હાથી વગેરેનું સુંદર ચિત્રકામ છે. દીવાલ પર ગિરનાર, આબુ, અષ્ટાપદ, સિદ્ધગિરિ અને સમેતશિખરના ચિત્રિત પટ છે. છત પર પણ ચિત્રકામ થયેલું છે. ફરસ આરસની છે.
ત્રણ સાદી કાષ્ઠ કોતરણીવાળા દ્વાર છે. નાના કદના ગભારામાં ૧૩” ઊંચી મૂળનાયક શ્રી નમિનાથની સપરિકર નયનરમ્ય પ્રતિમા બિરાજમાન છે. પ્રતિમા તથા પરિકર અલગ રંગના છે. કુલ ચૌદ આરસપ્રતિમા છે. કુલ બાર આરસપ્રતિમા પૈકી એક ધાતુ ચૌમુખી કમળમાં બિરાજે છે. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથની પ્રાચીન ધાતુપ્રતિમા જોવાલાયક છે. મોટી ફણા ૫૨ નાની નાની અર્ધગોળાકાર ફણા અને તેને બન્ને બાજુ સિંહાસન સાથે જોડતી પાતળી પટ્ટીમાં એકેક કાઉસ્સગ્ગિયા અને પદ્માસનસ્થ પ્રતિમા છે. ડાબે ગભારે ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા પર સં ૧૯૦૩નો લેખ છે. જમણે ગભારે ધર્મનાથ છે.
ઉપરના માળે શાંતિનાથના જિનાલયનો રંગમંડપ મોટો છે. દીવાલ પર શાંતિનાથનો ૧૦મો ભવ અને મલ્લિકાકુમારી છ રાજકુમારોને પ્રતિબોધ આપતા હોય તેવો લેમીનેટેડ ફોટો છે. અહીં પણ રંગકામ થયેલું છે.
ત્રણ ગર્ભદ્વાર છે. ૧૯” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની પ્રતિમા ૫૨ સં. ૧૬૬૪નો લેખ છે. કુલ સાત આરસપ્રતિમા તથા બાવન ધાતુપ્રતિમા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org