SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સુરતનાં જિનાલયો ત્રણ ગર્ભદ્વાર છે. ૧૩” ઊંચી મૂળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથની નાની, સુંદર પ્રતિમા બિરાજે છે. તેના પર – “સં. ૧૮૮૨ ..... વૈશાખ સુદી ૭ બુધવાસરે ........ જડાવ વહુ ......’ – મુજબનું તુટક તુટક લખાણ વાંચી શકાય છે. કુલ તેર આરસપ્રતિમા તથા સત્તાણું ધાતુપ્રતિમા છે. ડાબે ગભારે શ્રી મુનિસુવ્રતસ્વામી તથા જમણે ગભારે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની શ્યામપ્રતિમા છે. આરસનાં પગલાંની બે જોડ તથા ધાતુના નાના પગલાંની એક જોડ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં તથા સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં પણ આ જિનાલયની નોંધ મળે છે. સં. ૧૯૭૨માં માગશર સુદ ત્રીજના રોજ શેઠ માણેકચંદ મેળાપચંદ તથા તેમના ભાઈઓએ શ્રી વિજય મોહનસૂરિની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠા કરી હતી અને વહીવટ તેઓને હસ્તક હતો જે પાછળથી સંઘને અર્પણ કર્યો હતો – એ મુજબની નોંધ સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં તથા સં૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં મળે છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયને ધાબાબંધી જ દર્શાવ્યું છે. કુલ ચૌદ આરસપ્રતિમા તથા એકસો દસ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ સૌભાગચંદ ઉત્તમચંદ દીવાન હસ્તક હતો. તથા સં. ૧૮૮૨ની સાલની શેઠ ડાહ્યાભાઈની ઊભી મૂર્તિ, આત્મારામજી મહારાજની આરસમૂર્તિ તથા ચોવીસીનો એક રજતપટ હતો. શેઠ ડાહ્યાભાઈ લાલભાઈ નવલખાએ સં. ૧૮૮૨ લગભગમાં જિનાલય બંધાવ્યાની નોંધ છે. સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં આ જિનાલયની જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા અંગેની ઉપર્યુક્ત વિગતો પ્રાપ્ત થાય છે. ઉપરાંત તે સમયે વહીવટ શેઠ બાલુભાઈ નગીનદાસ સરેયા હસ્તક હતો. ટૂંકમાં આ જિનાલયની સ્થાપના સં૧૮૮૨માં થઈ છે. જિનાલય બંધાવનાર ડાહ્યાભાઈ લાલભાઈ નવલખા હતા ત્યારબાદ સં. ૧૯૭૨માં શેઠ માણેકચંદ મેલાપચંદ તથા તેમના ભાઈઓએ પુનઃ પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ સં૨૦૧૩માં છેલ્લી પ્રતિષ્ઠા થયેલ છે. કબૂતરખાના પાસે, વડાચૌટા ૬૧. કલ્યાણ પાર્શ્વનાથ (સં. ૧૯૪૧) વડાચૌટામાં કબૂતરખાના પાસે શ્રી કલ્યાણ પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. શહેરના હાર્દ સમા આ વિસ્તારમાં શેઠ શ્રી જમનાદાસ લાલભાઈએ સ્વદ્રવ્યથી બે માળનું ભવ્ય જિનાલય બંધાવવાનું શરૂ કર્યું અને સં૧૯૪૧માં કાંકરિયાથી લાવેલ શ્રી કલ્યાણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy